સુપ્રીમ કોર્ટમાં પડતર કેસોના વધતા જતા બોજને ઘટાડવા માટે DY ચંદ્રચુડ શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કોર્ટ જામીન અરજીથી ઉભરાઇ ગઈ છે.
ચંદ્રચુડનું સંપૂર્ણ ધ્યાન લોકોને ઓછા સમયમાં ન્યાય આપવા પર
બીજા રાજ્યમાં કેસ ટ્રાન્સફર કરવાની માંગની અરજીઓનો ઢગલો
સુપ્રીમ કોર્ટમાં પડતર કેસોના બોજને ઘટાડવા માટે કરશે કાર્યવાહી
DY ચંદ્રચુડ સુપ્રીમના જજ બનતા જ ઘણા બદલાવો લાવવા માંગે છે. હાલ ચંદ્રચુડનું સંપૂર્ણ ધ્યાન લોકોને ઓછા સમયમાં ન્યાય આપવા પર છે. તેમના પુરોગામી જસ્ટિસ યુયુ લલિતની જેમ તેઓ સુપ્રીમ કોર્ટમાં પડતર કેસોના વધતા જતા બોજને ઘટાડવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. CJI ચંદ્રચુડે તાજેતરમાં રોજના 70,000 પેન્ડિંગ કેસોને નિકાલ કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. તેમણે એક નિયમ બનાવ્યો છે કે હવે દરરોજ 10-10 જામીન અરજી અને 10-10 ટ્રાન્સફર કેસ સુપ્રીમ કોર્ટની તમામ 13 બેન્ચની સામે સૂચિબદ્ધ થશે.
નીચલી અદાલતો જામીન અરજીઓ ફગાવે છે
CJIએ કહ્યું, "નીચલી અદાલતો દ્વારા જામીન નકારવાને કારણે ઉચ્ચ અદાલતો જામીન અરજીઓથી ભરાઈ ગઈ છે. નીચલી અદાલતોના ન્યાયાધીશો જામીન આપવામાં અચકાય છે. એવું નથી કે તેઓ મામલાને સમજતા નથી, બલ્કે જઘન્ય ગુનાઓમાં જામીન આપીને તેમને નિશાન બનાવવાનો ડર છે. CJI ચંદ્રચુડે આ વાત દિલ્હી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત સન્માન સમારોહમાં કહી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ પણ ભાગ લીધો હતો.
Higher judiciary is flooded with bail applications due to reluctance at grassroots to grant bail. Judges at grassroots are reluctant to grant bail not because they don't understand crime, but there's sense of fear of being targetted for granting bail in heinous case: CJI (19.11) pic.twitter.com/jLLFzaTaY7
પેન્ડિંગ કેસ અંગે સીજેઆઈ ગંભીર
અગાઉ CJI ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટની દરેક બેંચમાં દરરોજ 10-10 જામીન અરજીઓ અને 10-10 ટ્રાન્સફર કેસની સુનાવણી કરવાનો નિયમ બનાવ્યો છે. આ કારણે સુપ્રીમ કોર્ટમાં દરરોજ જામીન અને કેસ ટ્રાન્સફર સંબંધિત 130-130 કેસોની સુનાવણી થશે. એક અઠવાડિયામાં 650-650 પેન્ડિંગ કેસોની સુનાવણી થશે. તેનાથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસ ઓછા થશે.
પેન્ડિંગ કેસ ઉકેલવાની સરળ રીત
તેમણે કહ્યું હતું કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કેસ ટ્રાન્સફર કરવાની માંગ કરતી 3,000 થી વધુ અરજીઓ પેન્ડિંગ છે. આમાંના મોટા ભાગના લગ્ન વિવાદો સાથે સંબંધિત છે. તેમણે કહ્યું હતું કે જો દરેક બેન્ચ એક સપ્તાહમાં 650 કેસોની સુનાવણી કરશે તો આ તમામ કેસોની સુનાવણી એક વર્ષમાં થશે. આનાથી પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં સરળતા રહેશે અને લોકોને ન્યાય મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.
પૂર્વ CJIએ પણ આવું જ કર્યું હતું
જણાવી દઈએ કે પૂર્વ CJI UU લલિત પણ પેન્ડિંગ કેસનો ઉકેલ લાવવાનો આગ્રહ રાખતા હતા. મુખ્ય ન્યાયાધીશ તરીકેના તેમના 74 દિવસના ટૂંકા કાર્યકાળમાં તેમણે પડતર કેસોના નિકાલ માટે ઘણા નિયમો બનાવ્યા હતા. તેણે રોજેરોજ સુનાવણી માટે કેસોની સંખ્યામાં વધારો કર્યો હતો. જો કે આના કારણે જજો પર કામનું ભારણ ઘણું વધારે હતું. જસ્ટિસ સંજય કૌલની અધ્યક્ષતાવાળી બેંચે 13 સપ્ટેમ્બરે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ નિયમ નવા કેસની સુનાવણી માટે સમય નથી આપી રહ્યો.