SC કેટેગરીના વિદ્યાર્થીઓને ફ્રીશીપ અંગેની સહાયમાં આવક મર્યાદા 6 લાખ કર્યા બાદ પરિપત્ર જાહેર ન કરાતા વિદ્યાર્થીઓને લાભ મળતો નથી આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે.
SC કેટેગરીના વિદ્યાર્થીઓને ફ્રીશીપ અંગે જાહેરાતનો મામલો
જાહેરાત બાદ સરકાર દ્વારા નથી કરાયો પરિપત્ર
કોંગ્રેસ MLA શૈલેષ પરમારે CMને કરી રજૂઆત
રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાના ભાવ સાથે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં SC,ST વર્ગની માંગને લઈને ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના શુભ અવસર 14 એપ્રિલે સરકારે વિદ્યાર્થીઓને ભેટ આપી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અપાતી સહાયની આવક મર્યાદા 6 લાખ કરવાનો નિર્ણય લીધો હતો. પરતું જાહેરાત બાદ સરકાર દ્વારા આ અંગે કોઇ પરિપત્ર જાહેર કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા છે. વિદ્યાર્થીઓ લાભ લઈ ન શકતા હોવાનું જણાવી આ મામલે કોંગ્રેસ MLA શૈલેષ પરમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી હતી.
પરિપત્ર ન થતા વિદ્યાર્થીઓને નથી મળી રહ્યો લાભ : શૈલેષ પરમાર
શૈલેષ પરમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યુ કે સરકારે SC,ST વર્ગની માંગને લઈને ફ્રીશીપ માટેની આવક મર્યાદા 2.50 લાખ હતી જે વધારી 6 લાખ કરવા અંગે જાહેરાત કરી હતી જે આવકારદાયક બાબત છે પરંતુ જાહેરાત બાદ સરકાર આજ સુધી આ અંગેનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. 14 એપ્રિલે આવક મર્યાદા વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનો પરિપત્ર ન થતા વિદ્યાર્થીઓને આ વધારાની જાહેરાતનો લાભ મળી રહ્યો નથી. કારણ કે, કોલેજમાં 18 જુલાઇએ ફી ભરવાની છેલ્લી તારીખ હતી. સરકારના પરિપત્રના અભાવે વિદ્યાર્થીઓ ફી ભરી શક્યા નથી. આથી આ અંગે તાત્કાલીક યોગ્ય કરવા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અંતમાં જણાવાયુ હતું.
14 એપ્રિલે આવક મર્યાદા વધારવાની કરાઇ હતી જાહેરાત
આંબેડકર જયંતિ નિમિત્તે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી હતી. જેમાં અનામત વર્ગના તમામ વિદ્યાર્થીઓને સરકારી યોજનાના લાભ માટે આવક મર્યાદા વધારવામાં આવી હતી. અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવી હતી.ગાંધીનગર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતુ કે આ યોજનાનો લાભ લેવા માટે 6 લાખની આવક મર્યાદા કરાઈ છે. એમફીલ પીએચડી સહિત શાળામાં ભણતા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદામાં વધારો કરાયો છે. અગાઉ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા 2.50 લાખ હતી. ત્યારે હવે 6 લાખ રૂપિયા સુધી આવક મર્યાદા ધરાવતા તમામ લોકોને શિષ્યવૃત્તિનો લાભ મળશે.