સુપ્રીમ કોર્ટે બુધવારે દેશની અર્થવ્યવસ્થાને લઈ મોટી ટિપ્પણી કરી છે. અદાલતે દેવા પર મળેલી માફીને લઈ દાખલ થયેલી અરજી પર સુનવણી કરતા કહ્યું કે અર્થવ્યવસ્થાની સાથે જે સમસ્યા થઈ છે તે કેન્દ્ર સરકારના સખત લોકડાઉન લાગુ કરવાના કારણે થઈ છે. આપણે લોકોની દુર્દશા પર વિચાર કરવો પડશે.
આપણે લોકોની દુર્દશા પર વિચાર કરવો પડશે
આ મામલાની આગળની સુનવણી 1સપ્ટેમ્બરે થશે
આ સમય વ્યવસાય કરવાનો નથી. પરંતુ આ સમય લોકોની દુર્દશા પર વિચાર કરવાનો છે.
કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો જવાબ દાખલ કરવા અને ઋણના વ્યાજ પર આપવામાં આવેલ ઋણ સ્થગન પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા રહ્યુ છે. આ ઉપરાંત કોરોનાની મહામારી દરમિયાન જાહેર કરવામાં આવેલ ઋણ સ્થગન સમયગાળા દરમિયાન વ્યાજ પર પણ પોતાનું વલણ સ્પષ્ટ કરવુ પડશે.
આ મામલાની આગળની સુનવણી 1સપ્ટેમ્બરે થશે. અદાલતે કહ્યું છે કે આ સમસ્યા કેન્દ્ર સરકારના લોકડાઉનના કારણે ઉભી થઈ છે. આ સમય વ્યવસાય કરવાનો નથી. પરંતુ આ સમય લોકોની દુર્દશા પર વિચાર કરવાનો છે.