ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને સોમવારા રાતે 9 વાગ્યાથી બુધવાર બપોરે સુધી પુરીમાં શટડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટસ બંધ કરી દેવામાં આવ્યાં છે. લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ શટડાઉન અંદાજે 41 કલાક રહેશે. આ અંગેની જાણકારી ઓડિશાના ચીફ સેક્રેટરી અસિત ત્રિપાઠી દ્વારા આપવામાં આવી હતી. જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી શરતોને આધીન મુજબ પુરીમાં જગન્નાથ રથયાત્રા નીકળશે.
કોરોનાની મહામારી વચ્ચે જગન્નાથ પુરીમાં નિકળશે રથયાત્રા
પુરીમાં જગન્નાથ રથયાત્રા પહેલા 41 કલાકનું શટડાઉન
શહેરના તમામ એન્ટ્રીગેટ બંધ કરવામાં આવ્યા
કોરોના મહામારી વચ્ચે હવે જગન્નાથ પુરીમાં રથયાત્રા નીકળશે. પુરીમાં જગન્નાથ રથયાત્રા પહેલા 41 કલાકનું શટડાઉન લાગુ કરવામાં આવ્યું છે. શહેરના તમામ એન્ટ્રીગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે શરતોને આધિન રથયાત્રાનું આયોજન કર્યું છે.
રથયાત્રા પહેલા 41 કલાકનું શટડાઉન
સોમવારે રાત્રે 9 વાગ્યાથી બુધવારે બપોરે 2 વાગ્યા સુધી શટડાઉન રહેશે. ત્રણેય રથ ખેંચવામાં 500થી વધુ લોકો એકઠા નહીં થઈ શકે. આ સાથે જ ત્રણેય રથ વચ્ચે અંતર જાળવવામાં આવશે.
અનુષ્ઠાનમાં ભાગ લેનારા લોકોનો કોરોના ટેસ્ટ ફરજિયાત
અનુષ્ઠાનમાં ભાગ લેનાર લોકોનો કોરોના ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવશે. રથયાત્રાના આયોજન માટે શહેરના અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. રથયાત્રામાં સામેલ લોકોની યાદી અને મેડિકલ રિપોર્ટનો રેકોર્ડ બનાવાશે. રથયાત્રામાં સરકારની તમામ ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવું પડશે.
Odisha: Preparations underway for #RathYatra at Puri Jagannath Temple. Supreme Court yesterday granted permission to hold the annual chariot festival this year amid #COVID19 pandemic. No more than 500 people will be allowed to pull the chariots as per SC's order. pic.twitter.com/q9stqdPitO