દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની પાર્ટી સાથે ગઠબંધનને લઈ નિર્ણાયક વાતચીત થઈ શકે છે.
ઓમ પ્રકાશ રાજભરે અને અરવિંદ કેજરીવાલ કરી શકે છે ગઠબંધન
સાથે જ અખિલેશ યાદવ સાથે પણ કરી શકે છે ગઠબંધન
ભાજપને હરાવવા બધા એક થઇશું
ઓમ પ્રકાશ રાજભરે અને અરવિંદ કેજરીવાલ કરી શકે છે ગઠબંધન
ભારતીય જનતા પાર્ટીના જૂના સહયોગી અને સુહેલદેવ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે સોમવારે કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની પાર્ટી સાથે ગઠબંધનને લઈ નિર્ણાયક વાતચીત થઈ શકે છે. રાજભરે કહ્યું કે તેઓ 17 જુલાઇના દિવસે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરશે અને આ દરમિયાન આમ આદમી પાર્ટીની ભાગીદારી સંકલ્પ મોરચા સાથેના ગઠબંધનને લઈ વાતચીત થશે.
સાથે જ અખિલેશ યાદવ સાથે પણ કરી શકે છે ગઠબંધન
તેમણે કહ્યું કે થોડા દિવસ આપના સાંસદ સંજય સિંહ સાથે મુલાકાત થઈ હતી. આ પછી તેમણે અરવિંદ કેજરીવાલ સાથે ફોન પર વાત કરી. એટલે હવે 17 જુલાઈના દિવસે મુલાકાત નિર્ધારિત કરવામાં આવે છે. તેમણે દાવા સાથે કહ્યું કે સમાજવાદી પાર્ટી સાથે પણ ગઠબંધનને લઈને પણ પ્રારંભિક રીતે વાત ચાલી રહી છે. કારણકે પૂર્વ મંત્રી બાબુ સિંહ કુશવાહે થોડા દિવસ અગાઉ જ સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી.
ભાજપને હરાવવા બધા એક થઇશું
તેના પરિણામ વિશે પૂછતાં તેમણે કહ્યું કે પ્રારંભિક સ્તર પર હાલ વાતચીત ચાલી રહી છે. સાથે જ તેમને પૂછવામાં આવઈઉ હતું કે શું અખિલેશ યાદવ અને અસડ્ડુદિન ઓવૈસી સાથે ગઠબંધન કરવા માટે તૈયાર હશે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે રાજનીતિમાં કોઈ દુશ્મન નથી હોતું, કારણકે હાલ અત્યારે બધાનું લક્ષ્ય ભાજપને રોકવાનું છે. અનિલ રાજભારે કહ્યું કે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ, ઓમ પ્રકાશ રાજભર અને અસડ્ડુદિન ઓવૈસીમાં કોઈ જ ફરક નથી. આમાંથી જે લોકોને જયારે મોકો મળ્યો ત્યારે રાષ્ટ્રવીર મહારાજા સુહેલદેવને અપમાનિત કર્યા છે.