એસબીઆઈએ કહ્યું કે, કોઈ પણ પ્રકારની સરકારી સબસીડી બેંક ખાતામાં મેળવવા માટે આધાર લિંક કરવું જરુરી છે.
ભારત સરકાર તરફથી ડાયરેક્ટ બેનિફિટ મેળવતા લોકો માટે જરુરી
સીડિંગ માટે ગ્રાહકોને નજીકનાં એસબીઆઈમાં સંપર્ક કરવો
બચત ખાતાને આધાર સાથે 4 તારીખેથી લિંક કરી શકાય છે
આધાર લિંક કરવું જરુરી
ભારતીય સ્ટેટ બેંકે તેનાં ગ્રાહકો માટે નવું એલર્ટ જાહેર કર્યું છે. એસબીઆઈએ કહ્યું કે કોઈ પણ પ્રકારની સરકારી સબસીડી બેંક ખાતામાં મેળવવા માટે આધાર લિંક કરવું જરુરી છે.
We would like to inform our customers that Aadhaar Card seeding is mandatory for those desirous of receiving any benefit or subsidy from Govt. of India through Direct Benefit Transfer.#DirectBenefitTransfer#AadhaarCardpic.twitter.com/EICJUbBeVC
એસબીઆઈએ ટ્વીટ કરીને કહ્યુ કે, અમે અમારા ગ્રાહકોને સૂચિત કરવા માંગીએ છીએ કે બેંક ખાતામાં આધાર નંબરની સીડિંગ/લિંકિંગ તે ગ્રાહકો માટે અનિવાર્ય છે, જે ભારત સરકાર તરફથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા કોઈ પણ પ્રકારનાં ફાયદા કે સબસીડી મેળવવા માંગે છે. બેંકે પણ કહ્યું કે ખાતામાં આધાર નંબર કે સીડિંગ માટે ગ્રાહકોને નજીકનાં એસબીઆઈમાં સંપર્ક કરવો જોઈએ.
સુપ્રીમ કોર્ટનો પણ આદેશ
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ બેંકનાં ખાતાને આધાર સાથે લિંક કરવું અનિવાર્ય છે પણ જો સરકારી સબસીડી બેંક ખાતામાં મેળવવી હશે તો તમારો આધાર નંબર ખાતામાં ઉમેરવો પડશે. જોકે તેમ છતાં સરકાર તરફથી બેંકથી એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે, 31 માર્ચ 2021 સુધી દરેક બેંક ખાતા ગ્રાહકોનાં આધાર નંબરથી લિંક થઈ જાય. એસબીઆઈના બચત ખાતાને આધાર સાથે 4 તારીખેથી લિંક કરી શકાય છે. ઈંટરનેટ બેંકિંગથી, એટીએમથી, એસબીઆઈ એનવેયર એપ અને બ્રાંચમાં જઈને. તમે આમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકો છો.