સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ રાજસ્થાનના મેહંદીપુર બાલાજીમાં ભારતીય સ્ટેટ બેંકની એક શાખાની તિજારોમાંથી 11 કરોડ રૂપિયાના સિક્કા ગાયબ થવા પર તપાસ સંભાળી છે.
SBIની શાખામાં 11 કરોડના સિક્કા ગાયબ
સિક્કાની ગણતરી કરતા શંકા ગઈ
સીબીઆઈ કરી રહી છે તપાસ
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ રાજસ્થાનના મેહંદીપુર બાલાજીમાં ભારતીય સ્ટેટ બેંકની એક શાખાની તિજારોમાંથી 11 કરોડ રૂપિયાના સિક્કા ગાયબ થવા પર તપાસ સંભાળી છે. અધિકારીઓએ સોમવારે આ પ્રકારની જાણકારી આપી હતી. એસબીઆઈએ મામલાની તપાસ સીબીઆઈને સોંપવાનો અનુરોધ કરતા રાજસ્થાન હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો, કારણ કે ગાયબ થયેલી રકમ કરોડ રૂપિયાથી પણ વધારે છે અને એજન્સીની તપાસ માટે જરૂરી છે.
સિક્કાની ગણતરી કરતા ભાંડો ફુટ્યો
હાઈકોર્ટના નિર્દેશ પર સીબીઆઈએ રાજસ્થાન પોલીસ દ્વારા પૂર્વમાં નોંધાયેલી ફરિયાદને પણ ધ્યાનમાં લીધી છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એસબીઆઈની શાખાએ પ્રારંભિક તપાસ બાદ સિક્કાની ગણતરી કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં બેંકમાં રાખેલ રોકડમાં વિસંગતતા હોવાના સંકેત મળ્યા હતા.
13 કરોડના સિક્કાની ગણતરી હાથ ધરવામાં આવી
બેંક શાખાના વહીખાતા અનુસાર 13 કરોડ રૂપિયાથી વધારેના સિક્કાની ગણતરી હાથ ધરવા માટે જયપુરના એક પ્રાઈવેટ વેંડરની સેવા લેવામા આવી હતી. ગણતરીથી જાણવા મળ્યું હતું કે, 11 કરોડથી પણ વધારેના સિક્કા ગાયબ છે. લગભગ બે કરોડ રૂપિયા લઈ જનારા ફક્ત 3000 સિક્કાના થેલાનો હિસાબ લગાવામાં આવ્યો હતો અને તેને ભારતીય રિઝર્વ બેંકની સિક્કા રાખનારી શાખામાં જમા કરવામાં આવ્યા હતા.
ફરિયાદમાં લગાવ્યો આ આરોપ
ફરિયાદમાં આરોપ લગાવામાં આવ્યો છે કે, ગણતરી કરનારા પ્રાઈવેટ વેંડરના કર્મચારીઓને 10 ઓગસ્ટ 2021ની રાતે ગેસ્ટ હાઉસમાં ધમાકો કર્યો હતો, જ્યાં તેઓ રોકાયા હતા અને સિક્કાની ગણતરી નહીં કરવાનું કહેવાયું હતું.