દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક SBIના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યાં છે. એસબીઆઈએ ગ્રાહકોની સુરક્ષા માટે બેન્કના નિયમોમાં મહત્વના ફેરફાર કર્યા છે. આ ફેરફાર હેઠળ હવે એસબીઆઈની યોનો એપ્લીકેશન પર ગ્રાહક ફક્ત એવા ફોનથી લૉગ ઈન કરી શકે છે જેનો મોબાઈલ નંબર બેન્કની સાથે રજીસ્ટર્ડ હશે.
SBIના ગ્રાહકો માટે અગત્યના સમાચાર
ગ્રાહકોની સુરક્ષા માટે બેન્કના નિયમોમાં મહત્વના ફેરફાર
હવે ગ્રાહક ઓનલાઈન બેન્કિંગ ફ્રોડથી સુરક્ષિત રહી શકશે
ઓનલાઈન બેન્કિંગ ફ્રોડથી સુરક્ષા
એટલેકે હવે તમે કોઈ પણ નંબર પરથી બેન્કની સર્વિસ લઈ શકશો નહીં. ગ્રાહકોને ઓનલાઈન બેન્કિંગ ફ્રોડથી બચાવવામાં આવે તેટલા માટે બેન્કે આ કડક પગલું ભર્યુ છે. એસબીઆઈ પોતાના ગ્રાહકો માટે સમય પ્રમાણે સુવિધાઓ રજૂ કરતુ હોય છે. ઓનલાઈન ફ્રોડના વધી રહેલા મામલાને જોઈને યોનો એપમાં આ નવુ અપડેટ મુક્યુ છે. જેનાથી ગ્રાહકોને સુરક્ષિત બેન્કિંગનો અનુભવ તો મળશે. આ સાથે તેઓ ઓનલાઈન ફ્રોડમાં ફસાશે નહીં.
બેન્કે ટ્વિટર પર આપી માહિતી
બેન્કે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર માહિતી આપી છે કે ગ્રાહક નવા રજીસ્ટ્રેશન માટે એવા ફોનનો ઉપયોગ કરે જેમાં બેન્ક સાથે તેમનો મોબાઈલ નંબર રજીસ્ટર હોય. એટલેકે હવે એસબીઆઈ યોનો ખાતાધારકોને કોઈ અન્ય નંબર પરથી લોગઈન કરવાનો પ્રયાસ કરવા પર કોઈ ટ્રાન્જેક્શનની મંજૂરી આપશે નહીં.
ફોન નંબર માટે પણ બન્યાં નિયમ
હવે આ નવા નિયમ હેઠળ તમે એપને કોઈ પણ ફોન દ્વારા લોગ ઈન કરી શકશો નહીં. જ્યારે પહેલા ગ્રાહક કોઈ પણ ફોન પરથી લોગ ઈન કરી શકતા હતા. હવે તમારો રજીસ્ટર મોબાઈલ નંબર જે મોબાઈલમાં રહેશે. તમે તે મોબાઈલ પરથી YONOની સુવિધાનો ઉપયોગ કરી શકો છો.