જો તમે પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહક છો તો તમારા માટે એક કામના ન્યૂઝ છે. 1 ઓક્ટોબરથી એસબીઆઈ પોતાના કેટલાક નિયમોને બદલવા જઈ રહી છે. આ બદલાવને કારણે કરોડો ગ્રાહકો પર તેની અસર થવાની શક્યતા છે. આવો જાણીએ કયા છે આ નિયમો જે બદલાશે અને તે કઈ રીતે અસર કરશે.
SBIના નિયમોમાં 1 ઓક્ટોબરથી આવશે બદલાવ
અનેક ખાતાધારકોને થશે બદલાવની અસર
પેનલ્ટી અને મંથલી એવરેજ બેલેન્સમાં આપવામાં આવશે રાહત
મંથલી એવરેજ બેલેન્સમાં ફેરફાર
1 ઓક્ટોબર 2019થી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પોતાના કેટલાક નિયમોમાં બદલાવ કરવા જઈ રહી છે. જેમાં પહેલો મોટો બદલાવ હશે મંથલી એવરેજ બેલેન્સને લઈને કરવામાં આવશે. એસબીઆઈએ બેંક એકાઉન્ટમાં મંથલી એવરેજ બેલેન્સ મેન્ટેન નહીં કરી શકવા પર જે ચાર્જ રાખ્યો હતો તેમાં ઘટાડો કરી શકે છે. આ ઘટાડો લગભગ 80 ટકા સુધીનો હોઈ શકે છે. હાલમાં તમારું બેંક એકાઉન્ટ મેટ્રો સિટી અને શહેરના વિસ્તારની બ્રાન્ચમાં છે તો તમારા ખાતામાં એવરેજ મંથલી બેલેન્સ ક્રમશઃ 5000 રૂપિયા અને 3000 રૂપિયા રાખવાનું હોય છે.
1 ઓક્ટોબરથી મેટ્રો સિટી કે શહેરી વિસ્તારોમાં એવરેજ મંથલી બેલેન્સ 3000 રૂપિયા થઈ શકે છે. એટલે કે મેટ્રો સિટીમાં રહેનારા એસબીઆઈના ગ્રાહકોને 2000 રૂપિયાની રાહત મળી શકે છે. હવે આ ગ્રાહકોને બેંક એકાઉન્ટમાં 5000 રૂપિયાને બદલે 3000 રૂપિયાનું બેલેન્સ મેન્ટેન કરવાનું રહેશે.
આ રીતે લાગશે દંડ
આ જ રીતે સંપૂર્ણ શહેરી વિસ્તારના એસબીઆઈ એકાઉન્ટ હોલ્ડરને પણ પેનલ્ટીમાં રાહત આપવામાં આવી છે. આ વિસ્તારોમાં કોઈના એકાઉન્ટનું મિનિમમ બેલેન્સ 3000 રૂપિયાથી 75 ટકા ઓછું હશે તો 15 રૂપિયા અને જીએસટીનો દંડ લાગશે.
હાલમાં આટલી છે દંડની રકમ
હાલમાં દંડની રકમ 80 રૂપિયા+જીએસટી છે. 50-75 ટકા ઓછું બેલેન્સ રાખનારાને 12 રૂપિયા અને જીએસટી ચૂકવવાનો રહેશે. હાલમાં આ દંડ 60 રૂપિયા + જીએસટી છે.
NEFT/ RTGS પર લાગશે આટલો ચાર્જ
આ સિવાય 1 ઓક્ટોબરથી એસબીઆઈની બ્રાંચથી NEFT/ RTGS કરવા માટે પહેલાંની સરખામણીએ ઓછો ચાર્જ લાગશે. નવા બદલાવના આધારે 10,000 રૂપિયા સુધીની રકમનું બ્રાંચથી NEFT કરવા માટે 2 રૂપિયા અને એક લાખથી 2 લાખ રૂપિયાની રકમનું NEFT કરવા માટે 20 રૂપિયા+GST આપવાના રહેશે. ઉલ્લેખનીય છે કે બેંકના ઓનલાઈન NEFT/ RTGS ટ્રાન્ઝેક્શન પહેલાંથી જ ફ્રી રાખવામાં આવ્યા છે.