SBIએ આજકાલના વધતા જતા બેંકિંગ ફ્રોડને કારણે લોકોને ચેતવણી આપતા ટ્વીટ કર્યા છે. જુઓ આ ટ્વીટ
વધી રહ્યા છે બેંકિંગ ફ્રોડનાં મામલા
એસબીઆઈનાં ચેતવણીભર્યા ટ્વીટ
QR કોડ સ્કેમથી બચો - SBI
વધી રહ્યા છે બેંકિંગ ફ્રોડનાં મામલા
પ્રધાનમંત્રી જન ધન યોજના આવ્યા બાદ ભારતમાં ફાઈનાન્સિયલ ઇન્ક્લૂઝનમાં ઝડપ આવી છે. આ કારણે તે લોકોના બેંક અકાઉન્ટ પણ ખુલ્યા છે, જે અત્યાર સુધી બેંકિંગ સેવાઓથી દૂર હતા. યોજના લોન્ચ થયાના 4 વર્ષ બાદ જ દેશની 80 ટકાથી વધારે આબાદીની પહોંચ બેંક ખાતાઓ સુધી થઇ ગઈ. બીજી બાજુ નોટબંધી અને કોરોના મહામારીને કારણે ડિજિટલિકરણ પણ ઝડપી બન્યુ. જોકે આ સાથે જ બેંકિંગ ફ્રોડનાં મામલાઓમાં પણ ઘણી ઝડપ આવી. દેશની સૌથી મોટી બેંક SBIએ ફ્રોડનાં મામલાઓને જોતા બધા ખાતાધારકોને ગુરુવારે ચેતવણી આપી છે.
QR કોડ સ્કેમથી બચો - SBI
એસબીઆઈએ આઝાદીનાં અમૃત મહોત્સવ હેઠળ લોકોના ફાઈનાન્સિયલ મામલાઓમાં શિક્ષિત બનાવવાની ઝુંબેશ શરુ કરી છે. આ ઝુંબેશ હેઠળ એસબીઆઈએ ગુરુવારે ટ્વીટ કર્યું કે ક્યૂઆર કોડ સ્કેન કરો અને પૈસા મેળવો? આ રોંગ નંબર છે. ક્યૂઆર કોડ સ્કેમથી સાવધાન રહો. સ્કેન કરતા પહેલા વિચારો, અજાણ્યા અને અનવેરીફાઈડ ક્યૂઆર કોડ સ્કેન ન કરો. સાવધાન રહો અને એસબીઆઈ સાથે સુરક્ષિત બન્યા રહો.
એસબીઆઈએ બીજા ટ્વીટમાં કહ્યું છે કે તમારી સેફટી જ અમારી પ્રાયોરીટી છે. સાઈબર અપરાધોને cybercrime.gov.in પર રિપોર્ટ કરો. ફોન, મેસેજ કે ઈ મેલનાં માધ્યમથી કેવાયસી અપડેટનાં ફ્રોડ ઓફર્સથી સાવચેત રહો. મજબૂત પાસવર્ડ રાખો અને તેને નિયમત રૂપથી બદલતા રહો. કોન્ટેક્ટ ડીટેલ્સ માટે એસબીઆઈની ઓફિશિયલ વેબસાઈટનો ઉપયોગ કરો.