ભારતીય સ્ટેટ બેંકે તેના ગ્રાહકોને નોટિસ જારી કરીછે. બેંકે ખાતા ધારકોને 30 સપ્ટેમ્બર સુધીમાં પાન-આધારકાર્ડ લિંક કરવા જણાવ્યું છે.
ભારતીય સ્ટેટ બેંકે તેના ગ્રાહકોને નોટિસ જારી કરી
બેંકે ખાતા ધારકોને 30 સપ્ટેમ્બર સુધીમાં પાન-આધારકાર્ડ લિંક કરવા જણાવ્યું
કેવાયસી વિના તમારું બેંક ખાતુ સસ્પેન્ડ કરવામાં આવે છે
બેંકે કહ્યું છે કે જો તમે આ કામ નિર્ધારિત સમય મર્યાદામાં નહીં કરો તો તમારી બેંકિંગ સેવા બાધિત થઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેની સત્તાવાર વેબસાઇટ પર આ વાત કહી છે. સાથે જ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે, જો આધાર અને પાન એક સાથે લિંક નથી, તો પાન નંબર નિષ્ક્રિય થઈ જશે. આ કારણોસર બેંકે ગ્રાહકોને તેમના ખાતાના સંચાલન માટે આધાર અને પાનને લિંક કરવા જણાવ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે દરેકને પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. આ માટેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી છે.
એસબીઆઈ બેંક ખાતુ સસ્પેન્ડ થઈ જશે
જો તમે 30 સપ્ટેમ્બર સુધીમાં તમારું કેવાયસી નહીં કરો તો શું થશે? એસબીઆઇએ કહ્યું કે કેવાયસી વિના તમારું બેંક ખાતુ સસ્પેન્ડ કરવામાં આવે છે, તો તમારા ખાતામાં જમા કરાયેલા પૈસા ફ્રીઝ થઈ જશે. તમે તે પૈસા પાછા ઉપાડી શકશો નહીં. ઉપરાંત, તમને કોઈ સરકારી યોજનાનો લાભ નહીં મળે અને કોઈ સબસિડી પણ નહીં મળે.
એસબીઆઇએ કહ્યું કે જો તમારું પાન અને આધારકાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક છે, તો તમારે ફરીથી આધાર અને પાન બેંકમાં મોકલવાની જરૂર નથી. સરકારે જુલાઈ 2017માં પહેલીવાર પાન અને આધારને લિંક કરવાની અંતિમ તારીખ નક્કી કરી હતી. જોકે, ત્યારબાદ સરકારે તેની મુદત ઘણી વખત વધારી દીધી છે.
તમને જણાવી દઈએ કે કોઈપણ પ્રકારના આર્થિક વ્યવહારમાં પાન હોવું ફરજિયાત છે. જો તમારે બેંક ખાતું ખોલવું હોય, ડીમેટ ખાતું ખોલવું હોય, સંપત્તિ ખરીદવી હોય કે પૈસાથી સંબંધિત કોઈ કામ કરવું હોય તો તમારે પાન હોવું જ જોઇએ.
પાન અને આધાર લિંક કરવાની પ્રક્રિયા
તમારી પાસે પાન અને આધાર કાર્ડને લિંક કરવાની બે રીત છે. પ્રથમ એસએમએસ દ્વારા અને બીજું ઇન્કમટેક્સ વેબસાઇટની મુલાકાત લઈને કરી શકાય છે.
જો તમે એસએમએસ દ્વારા પાન અને આધારને લિંક કરવા માંગતા હો તો તમારે UIDPAN<સ્પેસ> 12 અંકનો આધાર નંબર <સ્પેસ> 10 અંકનો પાન નંબર 567678 અથવા 56161 પર એસએમએસ કરવો પડશે.