સ્ટૉક એક્સચેન્જને આપવામાં આવેલી જાણકારી પ્રમાણે યસ બેંકના રિકન્સ્ટ્રક્શન પ્લાન હેઠળ SBIની શેરહોલ્ડિંગ 49 ટકાની લીમિટમાં જ થશે. જો કે એને રેગ્યુલેટરી મંજૂરી મળવાની હજુ બાકી છે.
રિકન્ટ્રક્શન ડ્રાફ્ટ પ્રમાણે SBIએ 10 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 245 કરોડ શેર ખરીદવાની વાત કહી હતી. એના માટે SBI દ્વારા 2450 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
3 વર્ષ સુધી પોતાની ભાગીદારી 26 ટકૈથા ઓછી નહીં કરી શકે SBI
જણાવી દઇએ કે ગત 5 માર્ચે જ રીઝર્વ બેંકે યસ બેંકના બોર્ડને ભંગ કરતાં પ્રશાંત કુમારને નવા પ્રશાસક નિયુક્ત કરી દીધા હતા. સાથે જ આરબીઆઇએ રિકન્ટ્રક્શન સ્કીમ માટે ડ્રાફ્ટ પણ પેશ કર્યો હતો. આરબીઆઇની શરતો પ્રમાણે રોકાણ બાદ આવતા 3 વર્ષ સુધી SBI પોતાની ભાગીદારીને 26 ટકાથી ઓછી કરી શકશે નહીં.
યસ બેંક સંકટને લઇને શુક્રવારે બેઠકમાં ચર્ચા થઇ શકે છે. એવું પણ શક્ય છે કે યસ બેંકના રિસ્ટ્રક્ચરિંગને મંજૂરી આપવામાં આવે. જણાવી દઇએ કે શુક્રવારની સવારે કેબિનેટ અને CCEA ની બેઠક થવાની છે. સૂત્રોથી મળતી જાણકારી પ્રમાણેઆ બેઠક દરમિયાન કેબિનેટમાં યસ બેંકના રિસ્ટ્રક્ચરિંગ પ્લાનને મંજૂરી આપવામાં આવી શકે છે.