જો તમે સ્ટેટ બેંકના ગ્રાહક છો તો તમારા માટે આ જાણવું જરૂરી છે કે, ગુરૂવારે એસબીઆઈએ તેના ટ્વિટર હેન્ડલથી જાણકારી આપી છે કે, 21 જૂન 2020એ બેંકની ઓનલાઈન સર્વિસ બંધ રહેશે અને આ દિવસે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં. થોડાં દિવસ પહેલાંથી એસબીઆઈના ઓનલાઈન પ્લેટફોર્મ પર ગ્રાહકોને ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા આવી રહી હતી.
એસબીઆઈના ગ્રાહકો ધ્યાન આપજો
21 જૂનએ નહીં થઈ શકે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન
બેંકે ગ્રાહકોને કર્યા એલર્ટ
ગુરૂવારે એસબીઆઈએ ટ્વિટ કરીને લખ્યું- બેંક કેટલીક એપ્લીકેશંસ માટે નવા એન્વાયરમેન્ટને લાગૂ કરી રહી છે. જેથી 21 જૂનએ બેંકની ઓનલાઈન સર્વિસ એક્સેસ કરવામાં સમસ્યા આવી શકે છે. જેથી અમે ગ્રાહકોને આ અસુવિધાથી બચવા પ્લાન કરવાની વિનંતી કરીએ છીએ.
Our online services may not be accessible on 21st June as we will be deploying a new environment for some of our applications. We request our customers to plan accordingly to avoid being inconvenienced. #ImportantNotice#SBIpic.twitter.com/nKQBuaZYgt
— State Bank of India (@TheOfficialSBI) June 18, 2020
તમને જણાવી દઈએ કે, 13 અને 14 જૂનએ એસબીઆઈની ઓનલાઈન સર્વિસ યોગ્ય રીતે કામ નહોતી કરી રહી. ગ્રાહકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નહોતી કરી શકી રહ્યાં. પેટીએમ, યૂપીઆઈ, યોનો એસબીઆઈ એપ અને ઈન્ટરનેટ બેંકિંગમાં પણ પરેશાની આવી રહી હતી. જેના કારણે ઘણાં ગ્રાહકો એકાઉન્ટનું બેલેન્સ પણ ચેક નહોતી કરી શકી રહ્યાં.
ગ્રાહકોએ ફરિયાદ પણ કરી હતી. ગ્રાહકોની ફરિયાદનો એસબીઆઈએ જવાબ પણ આપ્યો હતો. ટ્વિટ્સનો રિપ્લાય આપતા બેંકે કહ્યું કે, જલ્દી બેંકની સેવાઓ શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે, એસબીઆઈની યોનો એપની સર્વિસ હજી પણ ડાઉન છે. બેંકે જલ્દી સેવાઓ શરૂ કરવાનું જમાવ્યું છે.