SBIનું કહેવું છે કે મહિનામાં 3 વખત ગ્રાહક પોતાના ખાતામાં ફ્રી રોકડ જમા કરી શકે છે. તો બીજી બાજુ બેંક બ્રાંચછી જઇને 2 વખત રોકડ નિકાળી શકો છો. તમને જણાવી દઇએ કે SBIએ 1 ઓક્ટોબર 2019થી સર્વિસ ચાર્જિસને બદલી નાંખ્યો છે. એની પૂરી જાણકારી એમને વેબસાઇ પર પણ આપી છે.
દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇમાં તમારું સેવિંગ અકાઉન્ટ છે તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે. કારણ કે બેંકમાં પૈસા જમા કરવા અને નિકાળવાના નિયમોની જાણકારી આપી છે. બેંકનું કહેવું છે કે મહિનામાં ત્રણ વખત ગ્રાહક પોતાના ખાતામાં નિશુલ્ક કેશ જમા કરાવી શકે છે. તો બીજી બાજુ બેંક બ્રાંચથી જઇને 2 વખત રોકડ નિકાળી શકે છે. તમને જણાવી દઇએ કે SBIએ 1 ઓક્ટોબર 2019થી સર્વિસ ચાર્જિસને બદલી નાંખ્યા છે. એની પૂરી જાણકારી કંપનીએ પોતાની વેબસાઇટ પર પણ આપી છે.
SBIએ આપી સેવિંગ બેંક અકાઉન્ટથી જોડાયેલી મહત્વની જાણકારી
બેંકે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા જણાવ્યું કે સોશ્યલ મીડિયા પર SBI ના સેવિંગ ખાતાને લઇને ઘણા સમાચાર ખોટા ચાલી રહ્યા છે.
એટલા માટે એમને સેવિંગ ખાતામાંથી પૈસા નિકાળવા અને જમા કરવાના નિયમોની જાણકારી આપતા કહ્યું કે 1 ઓક્ટોબર 2019 બાદ ગ્રાહક મહિનામાં 3 વખત ફ્રી માં રકમ જમા કરાવી શકો છો.
તો બીજી બાજુ વર્ષ દરમિયાન કુલ 36 વખત ફ્રી માં રોકડ જમા કરાવી શકો છો.
આ ઉપરાંત ફ્રી માં રોકડ નિકાળવાની લીમિટ મહિનામાં 2 વખત છે. વર્ષ દરમિયાન 24 વખત ફ્રી માં કેશ નિકાળી શકાય છે.
SBIના એટીએમમાંથી મહિનામાં 5 વખત ફ્રી માં રોકડ નિકાળી શકે છે. વર્ષ દરમિયાન આ લિમિટ 60 વખત નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે આ તમામ ચાર્જિસ મેટ્રો અને અન્ય સેન્ટર્સ માટે આપવામાં આવ્યા છે.