એસબીઆઇએ ફિક્સ્ડ ડિપોઝીટની વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. એસબીઆઇના નવા દર 1 ઑગસ્ટથી લાગૂ થશે. MCLR માં પણ 0.05 ટકાનો ઘટાડો કર્યો છે.
દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં બેંકે અલગ અલગ અવધિની ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજદરમાં કાપ મૂક્યો છે. બેંકના આ નિર્ણયછી એ ગ્રાહકોને ઝટકો લાગશે જે ફિક્સ્ડ ડિપોઝીટમાં રોકાણ કરવાનો સારો વિકલ્પ માને છે. વાસ્તવમાં બેંક રોકાણકારોને એફડી પર અલગ અલગ વ્યાજ આપે છે. આ વ્યાજદરમાં એસબીઆઇએ કાપ મૂક્યો છે. એનો અર્થ એવો થયો કે FD પર એસબીઆઇ પહેલાની સરખામણીએ હવે ઓછું વ્યાજ આપશે.
0.75 ટકાનો કર્યો ઘટાડો
એસબીઆઇએ સોમવારે જણાવ્યું કે શોર્ટ ટર્મની 179 દિવસના એફડી પર વ્યાજ દરમાં 0.5 થી 0.75 ટકાનો કાપ કરવામાં આવ્યો છે. આ રીતે લૉન્ગ ટર્મની એફડીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. લૉન્ગ ટર્મ ફિક્સ્ડ ડિપૉઝિટ પર રીટેલ સેગમેન્ટમાં વ્યાજદરમાં 0.20 અને બલ્ક સેગમેન્ટમાં 0.35 ટકાનો કાપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 2 કરોડ રૂપિયા અને એનાથી ઉપરની ડિપૉઝીટ પર પણ વ્યાજ દરમાં કાપ કરવામાં આવ્યો છે. બેંકે જણાવ્યું કે નવા વ્યાજદર 1 ઑગસ્ટ 2019થી લાગૂ થશે.
HDFC બેંકે પણ કર્યો ફેરફાર
પ્રાઇવેટ સેક્ટરમાં એચડીએફસી બેંકે પણ ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો. એચડીએફસી બેંકે 30 દિવસથી લઇને 6 મહિના, 6 મહિનાથી લઇને 1 વર્ષ સુધીમાં મેચ્યોર થનારી એફડી પર મળતા વ્યાજદરમાં પણ ફેરફાર કર્યો છે.
જો કે બેંકે 7 દિવસથી લઇને 29 દિવસો વાળા FD વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો નથી, એટલે કે અહીંયા ગ્રાહકોને પહેલાની જેમ 4.25 ટકા જ વ્યાજ મળશે. જણાવી દઇએ કે ગત જૂન મહિનામાં સરકારે એનપીએસ, કિસાન વિકાસ પત્ર અને પીપીએફ જેવી નાની બચત સ્કીમો પર પણ વ્યાજદર ઘટાડી દીધો હતો.