દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. SBIએ સતત 9મી વખત 2019-20ને માટે માર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટ (MCLR)માં ઘટાડાનું એલાન કર્યું છે. આ સાથે જ એફડી પર મળનારા વ્યાજમાં પણ ઘટાડો કર્યો છે.
SBIનો ગ્રાહકોને ઝટકો
MCLRમાં કર્યો ઘટાડો
FD પર મળનારા વ્યાજમાં કર્યો ઘટાડો
સસ્તી થઈ હોમ અને ઓટો લોન
દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ MCLRમાં ઘટાડો કર્યો છે. તેમાં પાંચ બીપીએસનો ઘટાડો કરાયો છે. આ પછી વાર્ષિક 7.90 ટકાને ઘટાડીને 7.85 ટકા કર્યો છે. નવો ઘટાડો 10 ફેબ્રુઆરી 2020થી લાગૂ કરવામાં આવશે. તેનાથી ગ્રાહકોને ફાયદો થશે કેમકે હવે તેમને સસ્તામાં હોમલોન અને ઓટો લોન મળી શકશે.
RBIએ કર્યું હતું એલાન
ઉલ્લેખનીય છે કે SBIએ રેપો રેટમાં કોઈ બદલાવ લાવ્યો નથી. રેપો રેટ 5.15 ટકા જ રાખવામાં આવ્યો છે. SBIએ એમસીએલઆરમાં ઘટાડો કર્યો છે. ગુરુવારે કેન્દ્રીય બેંકે લોનને વધારવાનું એલાન કર્યું, SBIએ બેંકોને રિઝર્વ રેશિયોમાં ઘટાડો કરવાની છૂટ આપી છે જે જુલાઈ 2020 સુધી લાગૂ રહેશે. આ બેઠકમાં કહેવાયું છે કે નાના અને મિડલ ક્લાસ ઉદ્યોગોને સૌથી વધારે દેવું પૂરું કરવામાં મદદ કરવામાં આવે. આ માટે જરૂર પડે તો બેંક પોતાના આરક્ષિત કોષમાં કાપ મૂકી શકે છે.
ડિપોઝીટ પર મળશે ઓછું વ્યાજ
લોનના સિવાય એફડી પર પણ SBIએ જાહેરાત કરી છે. SBIએ તેમાં 10થી 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ સાથે ટર્મ ડિપોઝિટ પર મળનારા વ્યાજમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
ચાર પ્રકારના હોય છે બેંચમાર્ક
આરબીઆઈએ 4 પ્રકારના બેંચમાર્ક નક્કી કર્યા છે. પહેલો આરબીઆઈનો રેપોરેટ છે. બીજો કેન્દ્ર સરકારના 3 વર્ષની ટ્રેઝરી બિલ યીલ્ડ છે. ત્રીજું કેન્દ્ર સરકાર દ્વારા 6 મહિનાની ટ્રેઝરી બિલ અને ચોથો એફબીઆઈએલ દ્વારા કોઈ અન્ય બેંચમાર્ક રેટ.