ભારતીય સ્ટેટ બેંકના ખાતાધારકો માટે મહત્વના સમાચાર છે. જો તમારું પણ SBIમાં ખાતું છે તો બેંકે તમારા માટે એલર્ટ જારી કરી છે. ફટાફટ જાણી લો નહીંતર હેરાન થશો.
ભારતીય સ્ટેટ બેંકના ખાતાધારકો માટે જરૂરી સમાચાર
બેંકે ખાતાધારકો માટે જારી કર્યું એલર્ટ
આવતીકાલથી ત્રણ દિવસ સુધી બેંકની ખાસ સેવા થોડા કલાકો માટે કામ નહીં કરે
બેંકે કહ્યું કે આવતીકાલથી ત્રણ દિવસ સુધી બેંકની ખાસ સેવા થોડા કલાકો માટે કામ કરશે નહીં. બેંકે ટ્વિટ કરીને ગ્રાહકોને આ વિશે માહિતી આપી છે. હકીકતમાં, એસબીઆઈએ ટ્વિટર પર જણાવ્યું કે સિસ્ટમ મેન્ટેનન્સને કારણે બેંકની કેટલીક સેવાઓ 09, 10 અને 11 ઓક્ટોબરે બંધ રહેશે. આ સેવાઓમાં ઇન્ટરનેટ બેન્કિંગ, યોનો, યોનો લાઇટ અને યુપીઆઇ સેવાઓ સામેલ છે. તમને જણાવી દઈએ કે બેંક તેના ગ્રાહકોને સારી સુવિધાઓ આપવા માટે સમય સમય પર અપગ્રેડ કરતી રહે છે, જેથી ગ્રાહકો સરળતાથી ડિજિટલ સુવિધાઓ મેળવી શકે.
SBI એ એક ટ્વિટ દ્વારા કહ્યું કે આ સેવાઓ 09 ઓક્ટોબરની રાત્રે 12:20થી 02:20 સુધી બંધ રહેશે. આ સેવાઓ 10 અને 11 ઓક્ટોબરે બપોરે 11:20થી 1:20 સુધી ઉપલબ્ધ રહેશે નહીં. SBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ એટલા માટે છે કારણ કે બેંક તેના UPI પ્લેટફોર્મને અપગ્રેડ કરશે, જેથી ગ્રાહકનો અનુભવ સુધારી શકાય. આ દરમિયાન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ગ્રાહકો માટે બંધ રહેશે.
અગાઉ પણ સેવાઓ બંધ કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી કે SBIકોઈ સેવા બંધ કરી રહ્યું છે. આ પહેલાં પણ બેંકે ઘણી વખત આ સેવાઓ બંધ કરી હતી.
3.45 કરોડ લોકો ઉપયોગ કરી રહ્યાં છે
હાલમાં SBIમાં YONOના 3.45 કરોડ રજિસ્ટર્ડ ગ્રાહકો છે અને તેના પર દરરોજ લગભગ 90 લાખ લોગિન થાય છે. ડિસેમ્બર 2020 ક્વાર્ટરમાં, SBIએ YONO દ્વારા 15 લાખથી વધુ ખાતા ખોલાવ્યા છે.