આ સુવિધા ત્યાં લાગુ નહીં થાય જ્યાં SBI કાર્ડ ધારક બીજી બેન્કના એટીએમમાંથી કેશ ન ઉપાડે.
કેશ ટ્રાન્ઝેક્શનને લઈને મહત્વપૂર્ણ નિયમ
SBIના ગ્રાહકો ખાસ ધ્યાન આપો
10 હજારથી વધુ કેશ ઉપાડવા પર લાગુ થશે આ નિયમો
દેશના સૌથી મોટા સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ કેશ ટ્રાન્ઝેક્શનને લઈને મહત્વપૂર્ણ નિયમ બનાવ્યો છે. તે એ લોકો માટે છે જે 10 હજાર રૂપિયાથી વધારેના કેશ એટીએમમાંથી ઉપાડે છે. આ નિયમ હેઠળ જો તમે 10 હજારથી વધારેની રકમ ઉપાડો છો તો તેના માટે ઓટીપીનો સહારો લેવે પડશે. ઓટીપી સુરક્ષિત હોય છે અને તેમાં ફ્રોડ થવાની સંભાવના ઓછી હોય છે. માટે ઓટીપી બેસ્ટ વિડ્રોલની પસંદગીનો વિકલ્પ આપવામાં આવે છે.
હકીકતે બેન્કોના ટ્રાન્ઝેક્શનમાં દિવસેને દિવસે વધતા ફ્રોડના મામલાને જોતા આ પ્રકારના સુરક્ષાના પગલાને ઉઠાવવામાં આવી રહ્યા છે. SBI બેન્ક સમય સમય પર પોતાના ગ્રાહકો માટે આ પ્રકારની સર્વિસનું એલાન કરે છે જેથી તેમની લેવડ-દેવડને સુરક્ષિત અને સરળ બનાવી શકાય. ઓટીપી દ્વારા પૈસાનો ઉપાડ પણ તેનો એક ભાગ છે. તેના માટે બેન્કમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર તમારી સાથે હોવો જોઈએ જેના પર ઓટીપી આવશે. આ ઓટીપીના માધ્યમથી પૈસા ઉપાડી શકો છો.
શું છે નવો નિયમ
એટીએમ કેશ ઉપાડને વેરિફાઈ કરવા અથવા ઓથેન્ટિકેટ કરવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. તેનાથી ગ્રાહકોના પૈસાની સુરક્ષા વધે છે અને ખોટા હાથમાં પૈસા જવાથી બચી જાય છે. ધ્યાન રાખો કે ઓટીપી આધારિત કેશના ટ્રાન્ઝેક્શન ફક્ત 10 હજાર રૂપિયાની રકમ ઉપાડો છો તો એટીએમમાં ઓટીપી દાખલ કરવાની જરૂર નહીં હોય.
SBI સોશિયલ મીડિયા પર પોતાના ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે પોતાની દરેક પહેલ વિશે યાદ અપાવતી રહે છે. ગયા અઠવાડિયે પોતાના ટ્વીટમાં SBIએ કહ્યું, "SBI ATM પર લેવડ દેવડ માટે આપણા ઓટીપી આધારિત કેશ ઉડ્રોવ પ્રણાલી છેતરપિંડીના વિરૂદ્ધ વેક્સીનેશન છે. તમને છેતરપિંડીથી બચાવવાની હંમેશા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હશે."
નકલી અથવા અનધિકૃત લેવડ દેવડની સંખ્યાને ઓછી કરવા માટે 2020માં ઓટીપી આધારિત એટીએમ લેવડ દેવડ શરૂ કરવામાં આવી હતી. તમારા ઓટીપી-આધારિત કેશ વિડ્રોવલની શરૂઆતની સાથે ભારતીય સ્ટેટ બેન્કે પોતાની એટીએમ સેવાના માધ્યામથી કેશ વિડ્રોલ માટે સુરક્ષાની વધુ એક કડી જોડી દીધી છે. બેન્કમાં રજીસ્ટર્ડ ગ્રાહકના મોબાઈલ નંબર પર ઓટીપી પ્રાપ્ત થશે. વેરિફિકેશનનું આ મોટાભાગનું ફેક્ટર સ્ટેટ બેન્કના કાર્ડહોલ્ડરને કોઈ અન્ય વ્યક્તિ દ્વારા નકલી એટીએમ કેશ વિડ્રોવલ કરવાથી બચાવે છે. જે ગ્રાહકના ફોન પર ઓટીપી આવશે. તેજ એટીએમથી પૈસા ઉપાડી શકશે. તેનાથી ફરજીવાડાની સંભાવના ખતમ થશે.
કોણ લઈ શકે છે સુવિધાનો લાભ
આ સુવિધા ત્યાં લાગુ નહીં થાય જ્યાં સ્ટેટ બેન્ક કાર્ડ ધારક બીજી બેન્કના એટીએમથી કેશ વિડ્રોવ થશે. આવું એટલા માટે કારણ કે આ કામ હાલ એસબીઆઈના અનુસાર નેશનલ ફાઈનાન્શિયલ સ્વીચમાં શરૂ નથી કરવામાં આવ્યું. એનએફએસ દેશમાં સૌથી મોટા ઈન્ટરઓપરેબલ એટીએમ નેટવર્ક છે અને તે ઘરેલુ ઈન્ટરબેંક એટીએમ લેવડદેવડના 95 ટકાથી વધારેનું સંચાલન કરે છે.