બેંકમાંથી પૈસા ઉપાડવા માટે આજકાલ બધાં જ એટીએમનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે, બેંકો એટીએમમાંથી પૈસા કાઢવાની સંખ્યામાં લિમિટ રાખે છે. જો ગ્રાહકો આ નક્કી કરાયેલી લિમિટ કરતા વધુ વખત એટીએમમાંથી પૈસા કાઢે છે તો તેના પર ચાર્જિસ લાગે છે. પરંતુ એસબીઆઈ બેંકે તેના ગ્રાહકોને આ ચાર્જિસથી બચાવવા એક નવી રીત જણાવી છે. જેમાં ખાતાધારક એટીએમ કાર્ડ વિના જ યોનો એપની મદદથી પૈસા કાઢી શકે છે. તેના માટે ગ્રાહકે એટીએમની લેણદેણ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
એસબીઆઈના ગ્રાહકો માટે સારાં સમાચાર
હવે એટીએમમાંથી પૈસા કાઢવામાં નહીં ચૂકવવો પડે ચાર્જ
બેંક ગ્રાહકો માટે લાવી આ ખાસ સુવિધા
યોનો એપથી આ રીતે કાઢો પૈસા
એસબીઆઈ યોનો એપથી પૈસા કાઢવા માટે સૌથી પહેલાં તમારે યોનો એપ ડાઉનલોડ કરવી પડશે. તે બાદ નેટબેંકિંગ યુઝર આઈડી અને પાસવર્ડ નાખો. એક્ટિવ યુઝર આઈડી અને પાસવર્ડ નાખ્યા બાદ લોગઈન કરો.
હવે તમને એસબીઆઈ યોનો ડેશબોર્ડ દેખાશે. અહીં અકાઉન્ટની તમામ જાણકારી મળી જશે. હવે કાર્ડ વિના કેશ કાઢવા માટે વેબસાઈટની નીચે તરફ માઈ રિવાર્ડ્સ સેક્શનમાં સ્ક્રોલ કરો. અહીં 6 ઓપ્શન YONO Pay, YONO Cash, Bill Pay, Products, Shop, Book & Order જેવા વિકલ્પ જોવા મળશે. જેમાંથી તમારે યોનો કેશ ટેબ પર ક્લિક કરવું.
અહીં તમને ડેઈલી ટ્રાન્ઝેક્શન લિમિટની જાણકારી મળશે. તમે એક ટ્રાન્ઝેક્શનમાં 500 રૂપિયાથી લઈને 10000 રૂપિયા સુધી કેશ કાઢી શકો છો. યોનો દ્વારા એસબીઆઈ એટીએમમાંથી તમે મેક્સિમમ 20000 રૂપિયા કાઢી શકો છો.
ડેબિટ કાર્ડ વિના અથવા યોનો એપ દ્વારા પણ આ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. ટ્રાન્ઝેક્શન માટે તમારે 6 આંકડાના યોનો કેશ પિનને નાખીને યોનો વેબસાઈટ દ્વારા કેશ કાઢવાની પ્રોસેસ શરૂ કરી શકો છો.
આ સર્વિસમાં બે પ્રકારની પુષ્ટિ કરવામાં આવે છે. પહેલું 6 આંકડાના કેશ પિનથી, જેને વેબસાઈટ પર જ જનરેટ કરવો પડશે અને બીજું તમારા મોબાઈલ નંબર પર આલેવા 6 આંકડાના રેફરન્સ નંબર દ્વારા કરવામાં આવશે.