1લી જૂનથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં નોટ બદલવા માટે ચાર્જ ચૂકવો પડશે. આ ઉપરાંત કેટલીક સર્વિસિસ પણ મોંઘી થઈ જશે. એસબીઆઈ 1લી જૂનથી સર્વિસ ચાર્જ માટે નવા નિયમો લાગુ કરી રહી છે. ફાટેલી અને ખરાબ નોટ બદલવા માટે બેંકમાં 2થી 5 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડશે.
આ ચાર્જ 20થી વધારે નોટો અથવા તો તેની કિંમત 5000 રૂપિયાથી વધારે હોવા પર ચૂકવવો પડશે. જો કોઈ વ્યિkત પાસે આવી ફાટેલી નોટ કે જેની સંખ્યા 20 હોય અને તેની કિંમત 5000રૂપિયાથી વધારે ન થતી હોય તો તેમણે એકસચેન્જ માટે કોઈ ચાર્જ નહીં આપવો પડે.
જો કોઈ વ્યકિત 20થી વધારે નોટો એકસચેન્જ કરાવશે તો દરેક એકસ્ટ્રા નોટ પર 2 રૂપિયા ચાર્જ આપવો પડશે.