દેશની સૌથી મોટી બેંક SBI એટલે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ એક સાથે 5 મોટા ફેરફાર કર્યા છે. એની અસર બેંકના આશરે 44 કરોડ ગ્રાહકો પર પડવાની છે.
સેવિંગ અકાઉન્ટ હોલ્ડર્સને મિનિમમ બેલેન્સ ચાર્જ આપવો પડશે નહીં
તમામ સેવિંગ્સ અકાઉન્ટ પર વ્યાજ દર ઘટાડીને હવે 3 ટકા કરી દીધો છે
એસબીઆઇએ અલગ અલગ મેચ્યોરિટી સમય માટે રિટેલ ફિકસ્ડ ડિપૉઝીટ પર વ્યાજદરોમાં 0.50 ટકા સુધીનો કાપ કર્યો છે
મિનિમમ બેલેન્સની ઝંઝટ ખતમ
SBIના નવા ફેરફાર હેઠળ સેવિંગ અકાઉન્ટ હોલ્ડર્સને મિનિમમ બેલેન્સ ચાર્જ આપવો પડશે નહીં. હવે બેંકના ગ્રાહક અકાઉન્ટમાં પોતાના હિસાબથી બેલેન્સ રાખી શકશે. બેંક તરફથી એની પર કોઇ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં.
જણાવી દઇએ કે મેટ્રો સિટીમાં રહેતા એસબીઆઇના સેવિંગ અકાઉન્ટ હોલ્ડર્સને મિનિમમ બેલેન્સ તરીકે 3000 રૂપિયા, સેમી અર્બન સેવિંગ અકાઉન્ટ હોલ્ડર્સને 2000 રૂપિયા અને રુરલ એટલે કે ગ્રામણી વિસ્તારના સેવિંગ અકાઉન્ટ હોલ્ડર્સને 1000 રૂપિયા રાખવાના હોય છે.
જો તમે એને મેન્ટેન કર્યું નથી તો બેંક તરફથી 5 થી 15 રૂપિયા સુધીની પેનલ્ટી લેવામાં આવે છે. આ પેનલ્ટીમાં ટેક્સ પણ જોડાયેલો છે.
સેવિંગ્સ અકાઉન્ટ પર ઝટકો
SBIએ તમામ સેવિંગ્સ અકાઉન્ટ પર વ્યાજ દર ઘટાડીને હવે 3 ટકા કરી દીધો છે. અત્યાર સુધી ગ્રાહકોને સેવિંગ્સ અકાઉન્ટમાં 1 લાખ રૂપિયાથી ઓછા રાખવા પર વર્ષના 3.25 ટકા વ્યાજ મળતું હતું. જ્યારે 1 લાખ રૂપિયાથી વધારે રાખવા પર માત્ર 3 ટકા વ્યાજ મળતું હતું.
SMS પર ચાર્જથી રાહત
આ ઉપરાંત એસબીઆિએ SMS પર લાગતા ચાર્જ પણ હટાવી દીધો છે. અકાઉન્ટથી પૈસા કાપવા અને પૈસા જમા કરવા પર SBIના ગ્રાહકોને જે SMS આવે છે, બેંક એની પર દરેક ત્રિમાસિક ફી વસૂલતું હતું. પરંતુ હવે ગ્રાહકોને આ ચાર્જ આપવો પડશે નહીં.
બચત પર ચાલી કાતર
એસબીઆઇએ અલગ અલગ મેચ્યોરિટી સમય માટે રિટેલ ફિકસ્ડ ડિપૉઝીટ પર વ્યાજદરોમાં 0.50 ટકા સુધીનો કાપ કર્યો છે. સાત દિવસથી 45 દિવસમાં મેચ્યોર થનાર ફિક્સ્ડ ડિપૉઝીચ પર વ્યાજ દર હવે 4 ટકા હશે, જે પહેલા 4.50 ટકા હતું. તો બીજી બાજુ 1 વર્ષ અથવા એનાથી વધારે સમય માટે ડિપૉઝીટ પર વ્યાજ દરમાં 0.10 ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો.
એકથી બે વર્ષથી સમય માટે ડિપૉઝીટ પર વ્યાજ દર હવે 5.90 ટકા હશે દે પહેલા 6 ટકા હતો. એની સાથે જ સીનિયર સિટીઝનને મળતી ફિક્સ્ડ ડિપૉઝીટ પર પણ કાપ મૂકવામાં આવ્યો છે, જણાવી દઇએ કે ફેબ્રુઆરીમાં પણ બેંકે એફડીમાં કાપ મૂક્યો હતો.
એસબીઆઇની લોન થશે સસ્તી
આ ઉપરાંત એસબીઆઇએ માર્જિનલ કૉસ્ટ ઑફ ફંડ લેંડિંગ રેટમાં કાપ કર્યો છે. એના ઓછા થવાથી નવી પર્સનલ હોમ અથવા અન્ય પ્રકારની લોન સસ્તી થઇ જશે. જણાવી દઇએ કે એસબીઆઇએ એક વર્ષની એમસીએલઆર 0.10 ટકા ઘટાડીને 7.5 ટકા કરી દીધી છે. જે પહેલા 7.85 ટકા હતી.
એક દિવસનો સમય અને એક મહિના માટે એમસીએલઆર 0.15 ટકા ઘટાડીને .45 ટકા કરી દેવામાં આવી છે. ત્રણ મહિનાના સમય માટે એમસીએલઆરે 7.65 ટકા ઘટાડીને 7.50 ટકા કરી દેવામાં આવ્યો છે. એ પ્રકારે બે વર્ષ અને ત્રણ વર્ષના એમસીએલઆરને 0.10 ટકા ઘટાડીને ક્રમશ: 7.95 ટકા અને 8.05 ટકા કરવામાં આવ્યો છે.