દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (State Bank of India) તેના ગ્રાહકોને નો યોર કસ્ટમરની સુવિધા આપે છે, તેમાં અહીં આપેલા ડોક્યૂમેન્ટ્સ જમા કરાવવાના રહે છે. તો જાણો ખાસ પ્રોસેસ.
SBIમાં ખાતું છે તો કરો આ કામ
KYC માટે જોઈશે આ ડોક્યુમેન્ટ્સ
ચેક કરી લો લિસ્ટ
દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (State Bank of India) તેના ગ્રાહકોને નો યોર કસ્ટમરની સુવિધા આપે છે, તેમાં અહીં આપેલા ડોક્યૂમેન્ટ્સ જમા કરાવવાના રહે છે. તો જાણો ખાસ પ્રોસેસ. આ પ્રોસેની મદદથી બેંક ગ્રાહકની તમામ જાણકારી લે છે જેથી ગ્રાહકને કોઈ મુશ્કેલી ન પડે. બેંક પોતાના ગ્રાહકોને યોગ્ય સુવિધા આપી શકે તે માટે આ પ્રોસેસ કરાય છે. જો તમે તમારું ખાતું ખોલાવો છો તો તમારે આ પ્રોસેસ કરવાની રહે છે. આ માટે તમારે આ ડોક્યૂમેન્ટ્સની જરૂર રહે છે.
KYC અપડેટ કરવાની જરૂરિયાત
બેંકને સમયાંતરે ગ્રાહકોના KYC ડિટેલ્સને અપડેટ કરવાની જરૂર રહે છે. આ પ્રોસેસમાં કેટલીક બેઝિક ડિટેલ્સને વેરિફાઈ કરવાની રહે છે.
કેવી રીતે અપડેટ કરાવી શકાય છે બેંક KYC
ગ્રાહકોએ KYC અપડેટ માટે બેંકની નજીકની બ્રાન્ચમાં જવું પડે છે.
અહીં જરૂરી ડોક્યૂમેન્ટ જમા કરવાના રહે છે.
પોતાની ઓળખ માટે ફોટો અને એડ્રેસ પ્રૂફ આપવાના રહે છે.
પર્સનલ એકાઉન્ટના ગ્રાહકોએ પાસપોર્ટ, વોટરઆઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરવાનો રહે છે.
સગીર એકાઉન્ટ હોલ્ડર શું કરશે
જો એકાઉન્ટ હોલ્ડર સગીર છે કે પછી 10 વર્ષથી નાના છે તો તેમનું આઈડી પ્રૂફ જોઈશે જે એકાઉન્ટને ઓપરેટ કરી રહ્યા છે. જો સગીર પોતે એકાઉન્ટ ઓપરેટ કરે છે તો તે સ્થિતિમાં વ્યક્તિની ઓળખ કે ઘરના એડ્રેસનું વેરિફિકેશન કરીને સામાન્ય કેસની જેમ ટ્રીટ કરાશે.
NRI ગ્રાહકો માટે આ છે પ્રક્રિયા
જો તમે એનઆરઆઈ છો તો તમારે તમારો પાસપોર્ટ કે વીઝા આપવાનો રહેશે. રેસિડેન્સ વીઝાનો ફોરેન ઓફિસર્સ, નોટરી, ઈન્ડિયન એમ્બેસી સહિત સંબંધિત બેંકના ઓફિસર દ્વારા વેરિફાઈ કરાય છે.
એડ્રેસ પ્રૂફ માટે આપી શકાય છે આ ડોક્યૂમેન્ટ્સ
ટેલિફોન બિલ (3 મહિનાથી વધારે જૂનું ન હોવું જોઈએ)
બેંક ખાતાની ડિટેલ્સ (3 મહિનાથી વધારે જૂનું ન હોવું જોઈએ)
માન્યતા પ્રાપ્ત સરકારી અધિકારીનો લેટર
લાઈટ બિલ (6 મહિનાથી વધારે જૂનું ન હોવું જોઈએ)
રાશન કાર્ડ
ટેક્સ બિલ
ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ (3 મહિનાથી વધારે જૂનું ન હોવું જોઈએ)
લાઈસેન્સ કરાર / સેલ ડીડ/લીઝની કોપી
સ્કૂલ કે સંસ્થા જ્યાં રહો છો તેનું પ્રમાણપત્ર
વિદ્યાર્થી હોય તો નજીકના સગા સાથેના ઓળખપત્ર
RBIના નિયમ અનુસાર બેંકને નક્કી સમય બાદ તેમના કેવાયસી અપડેટ કરાવવાના રહે છે. જે ગ્રાહકો આ કામ કરતા નથી તેમને બેંકની નોટિસ મળે છે કે તેઓએ કેવાયસી અપડેટ કરાવ્યું નથી.