એક ઓક્ટોબરથી ભારતીય સ્ટેટ બેંક પોતાના બેંક ચાર્જ અને ટ્રાન્ઝેક્શનને લઇને ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. બેંક એક ઓક્ટોબરથી પોતાના સર્વસ ચાર્જમાં ફેરફાર કરનાર છે. જેમાં બેંકમાં રૂપિયા જમા કરાવવા, નિકાળવા, ચેકનો ઉપયોગ, એટીએમ ટ્રાન્ઝેક્શનથી જોડાયેલ સર્વિસ ચાર્જ સામેલ છે.
બેંકના સર્કુલર અનુસાર એક ઓક્ટોબરથી તમે એક મહિનામાં માત્ર ત્રણ વખત મફતમાં પૈસા જમા કરાવી શકો છો. ત્યારબાદ જો તમે તમારા ખાતામાં 100 રૂપિયા પણ જમા કર્યા તો તમારે 50 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. પાંચમી અથવા ત્યારબાદ જો તમે એક રૂપિયો પણ જમા કર્યો તો 56 રૂપિયાનો ચાર્જ આપવો પડશે.
આ ઉપરાંત જો ચેક કોઇ કારણથી બાઉન્સ થાય છે તો ચેક જાકી કરનાર પર 150 રૂપિયા અને જીએસટીની વધારે ચુકવણી કરવી પડશે. જીએસટી મળીને આ ચાર્જ 168 રૂપિયા થશે. નવા નિયમો પ્રમાણે જ્યાં એક બાજુ બેંકના એટીએમથી થનાર ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો કરી દીધો છે,. તો બીજી બાજુ બેંક શાખામાં જઇને NIFT અને RTGS કરવું મોંઘુ થઇ જશે.
બેંકે જારી કર્યું સર્કુલર
બેંકે સર્કુલર જારી કરતાં કહ્યું છે કે દેશના છ મેટ્રો શેહરો મુંબઇ, દિલ્હી, ચેન્નાઇ, કલકત્તા, બેંગ્લોર અને હૈદરાબાદમાં બેંકના એટીએમ પર લોકો દર મહિને 10 ટ્રાન્ઝેક્શન કરી શકશે. તો બીજી બાજુ અન્ય શહેરોમાં મોજૂદ એસબીઆઇના એટીએમ પર 12 ટ્રાન્ઝેક્શન કરી શકશે. જો કોઇ વ્યક્તિ બીજી બેંકના એટીએમનો પ્રયોગ કરે છે તો પછી એને મહિનામાં પાંચ ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા મળશે.
25 હજાર રૂપિયાથી ઉપર મિનિમમ એવરેજ બેલેન્સ રાખનાર લોકોને બેંક એટીએમનો પ્રયોગ અમર્યાદિત કરવામાં આવશે. તો બીજી બાજુ એનાથી નીચેનું એવરેજ બેલેન્સ રાખનાર લોકોને જૂના નિયમ અનુસાર આઠ ફ્રી ટ્રાન્ઝેક્શન જ કરવા મળશે. સેલેરી ખાતાધારકોને દેશની કોઇ પણ બેંક અને એસબીઆઇનો એટીએમ પ્રયોદ કરવા પર કોઇ પણ પ્રકારનો ચાર્જ આપવો પડશે નહીં. આ ખાતાધારક અમર્યાદિત ટ્રાન્ઝેક્શન કરી શકશે.
બેંકમાં RTGS-NEFT મોંઘુ
જો કોઇ વ્યક્તિ બેંક શાખામાં જઇને આરટીજીએસ અથવા એનઇએફટી કરે છે તો પછી એને તાર્જ આપવો પડશે. જો કે નેટબેંકિંગ, મોબાઇલ બેંકિંગ અથવા યોનો એપથી કરવામાં આવતા આવા ટ્રાન્ઝેક્શન પર કોઇ ચાર્જ લાગશે નહીં.
આરટીજીએસ (બેંક શાખા પર)
બે લાખથી પાંચ લાખ સુધી: 20 રૂપિયા (જીએસટી વધારે)
પાંચ લાખથી ઉપર: 40 રૂપિયા (જીએસટી વધારે)