બેંકે ટ્વીટર દ્વારા માહિતી આપી પોતાના ગ્રાહકોને સચેત રહેવાનું કહ્યું છે
KYCના નામે થઈ રહેલા ફ્રોડને લઈ ગ્રાહકોને સૂચના
કેવાયસીનાં મેસેજથી બચવાની જરુર
આ પહેલા એરટેલ કંપનીએ પણ આ પ્રકારનું ફ્રોડ એલર્ટ જાહેર કર્યું હતું
KYCના નામે થઈ રહેલા ફ્રોડને લઈ ગ્રાહકોને સૂચના
જો તમે SBIના ગ્રાહક છો તો આપના માટે જરૂરી સૂચના છે. દેશની સૌથી મોટી બેંક SBIએ પોતાના 44 કરોડ ગ્રાહકો માટે એક મેસેજ બહાર પાડ્યો છે. આ મેસેજમાં KYCના નામે થઈ રહેલા ફ્રોડને લઈ ગ્રાહકોને ચિંતા કરી છે. બેંકે ટ્વીટર દ્વારા આ માટે પોતાના ગ્રાહકોને સચેત રહેવાનું કહ્યું છે. તેમણે આ પોસ્ટમાં લખ્યું છે કે ફ્રોડ કરનાર લોકો KYC ના નામે તમારી સાથે ઠગાઇ કરી શકે છે. તમને જણાવી દઈએ કે SBIના દરેક ગ્રાહકોને 30 જૂન સુધીમાં KYC કરવું જરૂરી છે, જો કોઈ ગ્રાહક આ પ્રક્રિયા નહીં કરે તો તેમનું અકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે. જો તમારા ફોનમાં સીમ કેવાયસી કરાવવાનો મેસેજ આવ્યો છે તો તેને ઈગ્નોર કરજો અથવા તો તમારા ઓફિશિયલ કસ્ટમર કેર સાથે વાત કરીને આગળ વધજો બાકી ઠગ સાફ કરી નાંખશે તમારુ બેંક એકાઉન્ટ.
કેવાયસીનાં મેસેજથી બચવાની જરુર
જો તમે SBI બેન્કમાં ખાતું ધરાવો છો અને તમને રોજ કેવાયસી માટેનાં મેસેજ કે ફોન આવે છે તો સાવધાન થઈ જાઓ. બેંક કેવાયસી કરાવીને ઠગતા કિસ્સા સામે આવી રહ્યાં છે. SBI એ આ માટે એલર્ટ જાહેર કર્યું છે અને જણાવ્યું છે કે એસબીઆઇના કસ્ટમર્સ કે કેવાયસીનાં મેસેજ આવે છે તેનાંથી લોકોએ બચવાની જરુર છે અને તેનાથી બચવાનાં ઉપાય પણ જણાવ્યા છે.
— State Bank of India (@TheOfficialSBI) June 15, 2021
આ પહેલા એરટેલ કંપનીએ પણ આ પ્રકારનું ફ્રોડ એલર્ટ જાહેર કર્યું હતું
ડીસીપી સાઇબર ક્રાઇમે ટ્વીટ કરીને કહ્યું કે, સાવધાન રહો. એક નવા પ્રકારનું ફ્રોડ એસએમએસ સામે આવ્યુ છે, જેમાં એરટેલ સીમ કાર્ડની કેવાયસી કરાવવા માટે એક મોબાઈલ પર ફોન કરવા માટે કહેવામાં આવે છે. જે નંબર પર કોલ કરવાથી એક સાઇબર ઠગ જુદા જુદા પ્રકારે તમારાં બેન્ક એકાઉન્ટ અથવા ક્રેડિટ કાર્ડથી પૈસા ઉઠાવી લે છે.