જો તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી તો 30 જૂન પહેલા કરાવી લો. નહીં તો તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે અને પાન કાર્ડ બંધ થશે. આ સિવાય અનેક બેંક તેની સેવાઓ પણ બંધ કરશે.
આ મેસેજને કરશો ઈગ્નોર તો થશે 1000 રૂપિયાનું નુકસાન
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે 30 જૂન પહેલા કરાવી લો લિંક
આ બેંકોએ ગ્રાહકોને આપી દીધું છે એલર્ટ
જો તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી તો 30 જૂન પહેલા કરાવી લો. આ તારીખ હવે પછી વધવાની નથી. જો તમે આ કામ નહીં કરો તો તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે અને પાન કાર્ડ બંધ થશે. આ સિવાય અનેક બેંક તેની સેવાઓ પણ બંધ કરશે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન નક્કી કરી છે.
— State Bank of India (@TheOfficialSBI) May 31, 2021
SBIના 44 કરોડ ગ્રાહકોને મળ્યું એલર્ટ
દેશની સૌથી મોટી સાર્વજનિક બેંક SBIએ પોતાના ગ્રાહકોને માટે એક નોટિસ જાહેર કરી છે. બેંકના ખાતાધારકોને આ મહિનાના અંત સુધીમાં એટલે કે 30 જૂન સુધીમાં પોતાના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેવા જણાવાયું છે.
પાન કાર્ડ થઈ જશે બંધ
ઉપરની સૂચનાની સાથે State Bank Of Indiaએ એમ પણ કહ્યું છે કે નિયમનું પાલન નહીં કરવાથી ચાલુ સેવામાં મુશ્કેલી આવી શકે છે. બેંક ગ્રાહકોને સૂચિત કરી રહી છે કે તે પાન કાર્ડને આધાર સાથે જોડવામાં નિષ્ફળ રહેશે તો તેને નિષ્ક્રિય કરી દેવાશે.
શા માટે જરૂરી છે પાન - આધાર લિંક કરવા
બેંકે આ માટેની જાણકારી પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ TheOfficialSBI પર આપી છે. બેંકે પોતાના ગ્રાહકોને કોઈ પણ અસુવિધાથી બચાવવા અને નિર્બાધિત બેંકિંગ સેવાઓનો આનંદ લેવા માટે પાન કાર્ડને આધાર સાથે જોડવા કહ્યું છે. બેંકે નોટિસની સાથે એક ગ્રાફિક સંદેશ શેર કર્યો છે જે કહે છે કે પાનને આધાર સાથે જોડવાનું શા માટે અનિવાર્ય છે.
HDFC બેંક પણ આપી ચૂક્યું છે એલર્ટ
SBI બેંક સિવાય HDFC બેંક પણ પોતાના ગ્રાહકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું એલર્ટ આપી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે પાન કાર્ડને આધાર સાથે એસએમએસથી લિંક કરી શકાય છે. આ માટે તમારે ફોન પર UIDPAN અને પછી 12 અંકનો આધાર નંબર નાંખવાનો રહે છે. આ પછી 10 અંકનો પાન નંબર લખી લો. હવે આ મેસેજને 567678 કે 56161 પર સેન્ડ કરી લો.