જો તમે HDFC બેંક અને ભારતીય સ્ટેટ બેંક (SBI)ના ગ્રાહક છો તો તમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. જાણી લો.
HDFC બેંક અને ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહકો માટે કામના સમાચાર
1 ઓક્ટોબરથી બંધ થઈ જશે તમામ સેવાઓ
ગ્રાહકોને આપી આ સલાહ
બેંકે તેના કરોડો ગ્રાહકોને ચેતવ્યા છે. ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFCએ ગ્રાહકોને મેલ મોકલીને કહ્યું છે કે તેઓ આ મહિને એટલે કે 30 સપ્ટેમ્બર 2021 સુધીમાં તેમના આધારને પાન સાથે લિંક કરી દે, નહીંતર બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.
બીજી બાજુ હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના 46 કરોડ ગ્રાહકો માટે ખાસ અપીલ કરી છે. SBIએ તેના ખાતાધારકોને વહેલામાં વહેલી તકે પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવા કહ્યું છે. બેંકના જણાવ્યા અનુસાર જો કોઈ ગ્રાહક નિયત સમયમર્યાદામાં આ કામ નહીં કરે તો તેની બેંકિંગ સેવાઓ ખોરવાઈ શકે છે.
જાણો HDFC બેંકે શું કહ્યું?
HDFC બેંકે કહ્યું છે કે અમને ચિંતા છે કે તમે 1 ઓક્ટોબર, 2021થી ઘણી બેન્કિંગ સેવાઓ મેળવી શકશો નહીં, કારણ કે જ્યાં સુધી તમે તેને તમારા આધાર સાથે લિંક નહીં કરો તો તમારો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 139AA મુજબ, દરેક વ્યક્તિએ 30 સપ્ટેમ્બર 2021 સુધીમાં તેના આધારને તેના પાન સાથે લિંક કરવું પડશે.
SBIએ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે પાન લિંક કરવું જરૂરી છે. આવું ન કરવા પર 30 સપ્ટેમ્બર પછી પાન ઈનેક્ટિવ થઈ જશે. નિષ્ક્રિય પાન કાર્ડને કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં કોટ કરી શકાતો નથી.
પાન-આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે
તમને જણાવી દઈએ કે સરકારે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજિયાત બનાવ્યું છે હાલમાં પાન-આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે. આવી સ્થિતિમાં એસબીઆઈએ તેના ગ્રાહકોને અપીલ કરી છે કે વહેલી તકે PANને આધાર સાથે લિંક કરો. તમને જણાવી દઈએ કે દેશની સૌથી મોટી સરકારી બેંક SBIમાં ગ્રાહકોની સંખ્યા 46 કરોડની નજીક પહોંચી ગઈ છે.
પાન અને આધાર લિંક કરવાની પ્રક્રિયા
તમારી પાસે પાન અને આધાર કાર્ડ લિંક કરવાની બે રીત છે. પહેલી એસએમએસ દ્વારા અને બીજી આવકવેરા વેબસાઇટ પર જઈને કરી શકાય છે.
જો તમે SMS દ્વારા પાન અને આધારને લિંક કરવા માંગો છો, તો તમારે UIDPAN <space> 12 અંકનો આધાર નંબર <space> 10 અંકનો PAN નંબર 567678 અથવા 56161 પર SMS કરવો પડશે.