ભારતીય સ્ટેટ બેંકના ખાતાધારકો માટે મહત્વના સમાચાર છે. રક્ષાબંધન 2021 પર બેંકે ગ્રાહકોને એક ખાસ માહિતી આપી છે. ચાલો જાણીએ.
ભારતીય સ્ટેટ બેંકના ખાતાધારકો માટે મહત્વના સમાચાર
રક્ષાબંધન પર એસબીઆઈએ આપી જરૂરી જાણકારી
આ 8 વાતોનું ધ્યાન રાખવું છે જરૂરી
આ માહિતી દ્વારા ગ્રાહકો તેમના પૈસા સુરક્ષિત રાખી શકે છે. આ સિવાય તમે તમારી સાથે થતાં સાયબર ફ્રોડથી પણ બચી શકો છો. બેંકે કહ્યું છે કે આ રક્ષાબંધન પર તમે તમારા પૈસા SBI સાથે સુરક્ષિત રાખો. તમારા પૈસાની સલામતી માટે બેંકે 8 પોઈન્ટ વિશે જણાવ્યું છે, જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ટ્વિટ કરીને આ 8 પોઈન્ટ્સ વિશે માહિતી આપી છે. બેંકે લખ્યું છે કે આ રક્ષાબંધન પર તમે લાઈફલોન્ગ સિક્યોરિટી પર ધ્યાન આપો. તમે ખુદને અને તમારા નજીકના લોકોને આ રક્ષાબંધન પર સાયબર ફ્રોડથી સુરક્ષિત કરી શકો છો. ચાલો આ 8 પોઈન્ટમાં સમજો.
S – ઓનલાઈન સ્કેમથી સાવધાન રહો
U – સ્ટ્રોન્ગ પાસવર્ડનો ઉપયોગ કરો
R – અજાણી લિંક પર ક્લિક ન કરો
A – અજાણ્યા એપને ડાઉનલોડ ન કરો
K – પોતાના ખાતામાંથી થતાં ટ્રાન્ઝેક્શન પર નજર રાખો
S – પોતાનો પર્સનલ ડેટા સિક્યોર રાખો
H – ટ્રાન્ઝેક્શન કરતી વખતે ઓટીપી, સીવીવી, પીન નંબરનું ધ્યાન રાખો
A – હંમેશા ફોનમાં એન્ટી વાયરસ અપડેટ રાખો
પર્સનલ ડેટા ક્યારેય શેર કરવો નહીં
આ સાથે ગ્રાહકે તેમની પર્સનલ ડિટેલ્સ કોઈની સાથે શેર ન કરવી જોઈએ. આમ કરવાથી ગ્રાહકના ખાતામાં જમા થયેલી રકમ ઉપડી શકે છે. બેંકે કહ્યું કે તમારે તમારો એટીએમ પિન, કાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને ઓટીપી ક્યારેય કોઈની સાથે શેર કરવો નહીં.
સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ કેવી રીતે કરવી
આ બીજા વિકલ્પ દ્વારા ફરિયાદ નોંધાવવા માટે તમારે તમારા રાજ્યનું નામ, લોગિન આઈડી, મોબાઈલ નંબર અને ઓટીપી દાખલ કરવું પડશે. જો તમે નવા યુઝરછો તો સૌથી પહેલા તમારે આ પોર્ટલ પર રજિસ્ટર કરવું પડશે. નવા યુઝર તરીકે રજિસ્ટર કરવા માટે તમારે તમારો મોબાઇલ નંબર આપવો પડશે. જે બાદ તમારા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. ઓટીપી નાંખ્યા પછી રજિસ્ટ્રેશનનું કામ પૂર્ણ થશે. આ પછી તમે તમારી ફરિયાદ નોંધાવી શકશો. આ કામ માત્ર થોડીવારમાં પૂરું થઈ જશે.