બેંકિંગ છેતરપિંડીના કેસો સતત વધી રહ્યાં છે જેથી એસબીઆઈએ તેના ગ્રાહકોને એલર્ટ કર્યા છે. ચાલો જાણીએ.
એસબીઆઈના ગ્રાહકો માટે કામના સમાચાર
બેંકે તેના ગ્રાહકોને કાર્યા એલર્ટ
બેંકે આ નંબરોથી સાવધાન રહેવાનું કહ્યું
દેશમાં બેંકિંગ ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ ફ્રોડર લોકોને નવી રીતે પોતાની છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યાં છે. આવા ફ્રોડથી બચવા માટે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સતત લોકોને ચેતવણી આપી રહી છે. ત્યારે હવે SBIએ વધુ એક ટ્વિટ જારી કર્યું છે, જેમાં તેના 44 કરોડ ગ્રાહકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે.
SBI એ ટ્વિટ કરીને ફેક કસ્ટમર કેર નંબર વિશે ચેતવણી આપી છે. બેંકે એક ટ્વિટમાં કહ્યું, ફેક કસ્ટમર કેર નંબરોથી સાવધ રહો. મહેરબાની કરીને સાચા કસ્ટમર કેર નંબર માટે SBIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. કોઈની પણ સાથે તમારી બેંકથી જોડાયેલી જાણકારી શેર કરવી નહીં.
બેંકે આ ટ્વિટમાં એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં એક વ્યક્તિ ભૂલથી ફેક કસ્ટમર કેર નંબર પર ફોન પર કોલ કરે છે, જેમાં ફ્રોડર તમામ માહિતી લઈને ફ્રોડ કરે છે. વીડિયોના અંતમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પ્રકારની છેતરપિંડી થાય તો તરત જ તેની જાણ કરો. તમે [email protected] અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 155260 પર કોલ કરી શકો છો.
ફ્રી ગિફ્ટના ચક્કરમાં એકાઉન્ટ ખાલી થઈ શકે છે
હાલમાં જ એસબીઆઈએ ગ્રાહકોને મફત ગિફ્ટના નામે છેતરપિંડી અંગે ચેતવણી આપી હતી. બેંકે ટ્વિટર મારફતે કહ્યું હતું કે છેતરપિંડી કરનારાઓ ફ્રી ગિફ્ટના નામે ગ્રાહકને લિંક મોકલીને તેમની અંગત વિગતો ચોરી રહ્યાં છે.