પાક વીમાના વળતર મુદ્દે વીટીવીએ કરેલી મહેનત રંગ લાવી છે. ત્યારે હવે SBI જનરલ ઈન્શ્યોરન્સ કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યુ છે. 2017માં ખરીફ પાકને થયેલા નુકસાન અંગે કંપનીએ વળતર ચૂકવ્યુ છે. કંપની દ્વારા વળતર ન ચૂકવવામાં આવતા ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુરેન્દ્રનગરમાં પાકને નુકસાન મામલે ખેડૂતોએ અરજી કરી હતી. આ મામલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી 19 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
વર્ષ 2017માં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને થયેલા પાકના નુકસાન બાદ ખેડૂતોને વળતર નહોતું ચૂકવાયું. ત્યારે રાજ્ય સરકારના દબાણ બાદ વીમા કંપનીઓએ હાલ એડહોક પેમેન્ટના ડ્રાફ્ટ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. સાથે ખેડૂતોએ વીમા પ્રિમિયમ ભર્યા હોય પણ વળતર ના મળ્યું હોત તે મામલે યોગ્ય રેકોર્ડ જોઈને વળતર આપવાની તૈયારી દર્શાવી હતી. SBI જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા 4 ખેડૂતોને વળતર ચૂકવાયું છે. બીજી તરફ VTV દ્વારા પણ સતત ખેડૂતોના નુકસાનનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. સાથે ખેડૂતોના સવાલો પણ ઉઠાવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવેલી અરજીમાં સરકાર અને કોર્ટના વલણ બાદ વીમા કંપનીએ વળતર ચૂકવવાનો નિર્ણય લીધો હતો. જેથી હવે ખેડૂતોને વળતર મળવાનો માર્ગ મોકળો થયો છે.
મહત્વનું છે કે, વર્ષ 2017-18માં ખેડૂતોને થેયલા નુકસાન મામલે SBI જનરલ વીમા કંપનીએ વળતર આપવાની ના પાડી હતી. જેને લઇને હવે હાઈકોર્ટે ઝાટકણી કાઢતા વળતર ચૂકવવાનો નિર્ણય લીધો હતો.