જો તમે દેશની સૌથી મોટી સરકારી બેંક SBIના ખાતેદાર છો તો તમારા માટે એક માઠા સમાચાર છે. SBIએ ફિક્સ્ડ ડિપોઝીટ એટલે કે FD પર વ્યાજદરોમાં 0.15 ટકાથી 0.75 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.
SBIએ લીધો આ નિર્ણય
FDના રેટમાં કર્યો ઘટાડો
SBIએ કરોડો ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો
ગ્રાહકોને એફડી પર વ્યાજ પહેલાંની સરખામણીએ ઓછું મળશે. બેંકનો આ નિર્ણય કરોડો ગ્રાહકને માટે મોટા ઝટકા સમાન છે. જાણો આ રીતે SBIએ કર્યો છે વ્યાજના દરોમાં ઘટાડો.
આ રીતે નક્કી થયો છે વ્યાજદર
SBIએ 7થી 45 દિવસને માટે એફડી પર 4.50 ટકા વ્યાજ આપવાનું એલાન કર્યું છે. આ રીતે 46 દિવસથી 179 દિવસ સુધી FD પર 5.50 ટકા વ્યાજ આપશે. જ્યારે બેંક ગ્રાહકોને માટે 180 દિવસથી 210 દિવસ માચે FD પર 5.80 ટકા સુધી વ્યાજ આપશે. જ્યારે 1 વર્ષને માટે FD પર બેંક 6.80 ટકા સુધીનું વ્યાજ આપશે.
1થી 2 વર્ષ માટેની FD માટે રહેશે નિયમ
જો તમે 1થી 2 વર્ષની વાત કરો છો તો FD પર 6.25 ટકાનું વ્યાજ મળશે. જ્યારે 2થી 3 વર્ષ સુધી, 3થી 5 વર્ષ અને 5થી 10 વર્ષ સુધી FD પર બેંક 6.25 ટકા સુધીનું વ્યાજ મળશે.
સીનિયર સિટીઝન માટે રહેશે આ નિયમ
સીનિયર સિટીઝન માટે પણ વ્યાજના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બેંકના સિનિયર સિટીઝનને 7-45 દિવસ સુધીની ડિપોઝીટ પર 5.00 ટકા સુધી વ્યાજ મળશે. 1થી 2 વર્ષ સુધી, 2થી 3 વર્ષ સુધી, 3થી 5 વર્ષ સુધી અને 5થી 10 વર્ષને માટે FD પર બેંક સિનિયર સિટીઝનને 6.75 ટકાનું વ્યાજ આપશે.
10 નવેમ્બર 2019થી લાગૂ થશે નિયમ
ઉલ્લેખનીય છે કે SBIએ હાલના નાણાંકીય વર્ષના પહેલા 8 મહિનામાં 7મી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. SBIની ફિક્સ્ડ ડિપોઝીટના નવા દર 10 નવેમ્બર 2019થી લાગૂ થશે.