દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈએ શનિવારે હોમ લોન પરનો વ્યાજ દર ઘટાડીને 6.70 ટકા કરી દીધો છે.
એસબીઆઈએ હોમ લોન પર વ્યાજ દર ઘટાડીને 6.70 ટકા કર્યો
30 લાખ સુધીની લોન પર વ્યાજનો વાર્ષિક દર 6.70 ટકા
30 થી 75 લાખની લોન પર વ્યાજનો દર 6.95 ટકા
75 લાખથી ઉપરની લોન પર વ્યાજનો દર 7.05 ટકા
એસબીઆઈએ એક પ્રેસ રીલિઝ જારી કરીને જણાવ્યું કે 30 લાખ સુધીની લોન પર વ્યાજનો વાર્ષિક દર 6.70 ટકા, 30 લાખ સુધીની લોન પર વ્યાજનો વાર્ષિક દર 6.70 ટકા, 30 થી 75 લાખની લોન પર વ્યાજનો દર 6.95 ટકા, 75 લાખથી ઉપરની લોન પર વ્યાજનો દર 7.05 ટકા રહેશે.
ઈએમઆઈ ઘટશે
એસબીઆઈના એમડી સીએસ શેટ્ટીએ જણાવ્યું કે ગ્રાહકો હવે સરળતાથી લોન લઈ શકશે. કારણ કે તેનાથી ઈએમઆઈ ઘટશે. બેન્કે જણાવ્યું કે મહિલાઓ માટે વ્યાજ દરમાં પણ 0.05 ટકાની છૂટ આપવામાં આવી છે. આ રીતે યોનો એપ દ્વારા લોનની અરજી કરનાર લોકોને 0.05 ટકાની વધારાની છૂટ મળશે.
હોમ લોન માર્કેટમાં 34 ટકા હિસ્સો
31 માર્ચ 2021 સુધી હોમ લોન પર 6.70 ટકાની બેન્કની ઓફર છે. પહેલી એપ્રિલથી બેન્કે 6.95 ટકાનો દર બહાલ કરી દીધો છે. હોમ લોન માર્કેટમાં એસબીઆઈનો હિસ્સો 34 ટકા છે અને બેન્કે પાંચ લાખ કરોડ કરતા પણ વધારે રકમની લોન આપી રાખી છે.