લૉકડાઉનની સાથે જ બેંકોએ ઉઘાર લેનારાની સાથે સાથે નફા ઉપર પણ કાતર ચલાવી છે. તેનું નુકસાન એ ગ્રાહકોને વધારે થશે જેઓએ સેવિંગ્સને બેંકમાં ફિકસ્ડ ડિપોઝીટ કરાવીને રાખી છે. આ ગ્રાહકોનો નફો હવે ઘટી ગયો છે. SBIએ લૉકડાઉનમાં 2 વખત ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે.
SBIએ લીધો આ નિર્ણય
ફીકસ્ડ ડીપોઝીટના દરમાં કર્યો ઘટાડો
ગ્રાહકોને થશે મોટું નુકસાન
ઉલ્લેખનીય છે કે 2 મહિનામાં ત્રીજી વાર ફીક્સ્ડ ડીપોઝીટના વ્યાજના દરમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશણાં પારંપરિક, સુરક્ષિત અને નિશ્ચિત વ્યાજ ઈન્કમ માટે મોટા પ્રમાણમાં એફડીમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે.
જાણો હાલમાં કેટલો થયો ઘટાડો
SBIએ 3 વર્ષના સમય માટેની એફડી પરના વ્યાજદરમાં 0.20 ટકાનો ઘટાડો કર્યો છે. બેંકની તરફથી નવા ફેરફાર 12 મેથી લાગૂ થશે. આ અગાઉ 28 માર્ચે એફડી પર ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે SBI એ 2 કરોડ રૂપિયા સુધીની રિટેલ એફડી પર વ્યાજ દરમાં 0.50 ટકા સુધીના ઘટાડાની જાહેરાત કરી હતી.
હાલમાં શું છે વ્યાજદર
SBIની વેબસાઈટ અનસાર હાલમાં 2 કરોડ રૂપિયાથી ઓછી રિટેલ ડોમેસ્ટિક ટર્મ ડિપોઝીટમાં 7-45 દિવસની જમા રકમ પર વ્યાજ દર 3.5 ટકા છે. 46-179 દિવસની જમા રકમ પર વ્યાજદર 4.5 ટકા અને 180-210 દિવસની જમા રકમ પર વ્યાજદર 5 ટકા છે. 211થી 1 વર્ષ માટેના સમયની એફડી પર વ્યાજદર 5 ટકા, 1વર્ષથી 10 વર્ષ સુધીની એફડી પર 5.7 ટકા વ્યાજ મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે બેંકના સીનિયર સીટિઝનને માટે એસબીઆઈ વીકેયર ડિપોઝિટ સ્કીમ લોન્ચ કરાઈી છે. આ નવી પ્રોડક્ટમાં સીનિટર સીટિઝનને 5 વર્ષ કે તેનાથી વધારાના સમયે માટે રિટેલ ટર્મ ડિપોઝીટ પર 30 બેસિસ પોઈન્ટનો વધુ પ્રીમિયમ મળશે. આ સ્કીમની ડેડલાઈન 30 સપ્ટેમ્બર 2020 છે.