દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ એફડી પરના વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. બેંકે તમામ અવધિની એફડી પરના વ્યાજદરમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દરો 27 મે એટલે કે બુધવારથી લાગુ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ, બેંકે આ મહિનાની શરૂઆતમાં પણ એફડી પરના વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો.
એસબીઆઈના ગ્રાહકોને લાગ્યો ઝટકો
બેંકે એફડી પરના વ્યાજદરમાં કર્યો ઘટાડો
નવા વ્યાજદર 27 મેથી લાગુ
એસબીઆઈ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કર્યા પછી હવે એફડી પરનું એકથી બે વર્ષનું વ્યાજદર ઘટીને 5.1 ટકા પર આવી ગયું છે. જ્યારે 3થી 5 વર્ષની એફડી પર 5.3 ટકા વ્યાજ આપવામાં આવશે.
7થી 45 દિવસની એફડી પરના નવા વ્યાજદર
સામાન્ય જનતા માટે વ્યાજદર 3.3થી ઘટાડીને 2.9 કરી દીધું છે. જ્યારે સીનિયર સિટીઝન માટે વ્યાજદર 3.8 ટકાથી ઘટીને 3.4 ટકા થઈ ગયું છે.
46થી 179 દિવસની એફડી પરના નવા વ્યાજદર
સામાન્ય જનતા માટે વ્યાજદર 4.3થીઘટાડીને 3.9 કરી દીધું છે. જ્યારે સીનિયર સિટીઝન માટે વ્યાજદર 4.8 ટકાથી ઘટીને 4.4 ટકા થઈ ગયું છે.
180થી 210 દિવસની એફડી પરના નવા વ્યાજદર
સામાન્ય જનતા માટે વ્યાજદર 4.8થી ઘટાડીને 4.4 કરી દીધું છે. જ્યારે સીનિયર સિટીઝન માટે વ્યાજદર 5.3 ટકાથી ઘટીને 4.9 ટકા થઈ ગયું છે.
211 દિવસથી 1 વર્ષ માટે એફડી પરના નવા વ્યાજદર
સામાન્ય જનતા માટે વ્યાજદર 4.8થી ઘટાડીને 4.4 કરી દીધું છે. જ્યારે સીનિયર સિટીઝન માટે વ્યાજદર 5.3 ટકાથી ઘટીને 4.9 ટકા થઈ ગયું છે.
1 વર્ષથી 2 વર્ષની અવધિ માટે એફડી પરના નવા વ્યાજદર
સામાન્ય જનતા માટે વ્યાજદર 5.5થી ઘટાડીને 5.1 કરી દીધું છે. જ્યારે સીનિયર સિટીઝન માટે વ્યાજદર 6 ટકાથી ઘટીને 5.6 ટકા થઈ ગયું છે.
2 વર્ષથી 3 વર્ષની અવધિ માટે એફડી પરના નવા વ્યાજદર
સામાન્ય જનતા માટે વ્યાજદર 5.5થી ઘટાડીને 5.1 કરી દીધું છે. જ્યારે સીનિયર સિટીઝન માટે વ્યાજદર 6 ટકાથી ઘટીને 5.6 ટકા થઈ ગયું છે.
3 વર્ષથી 5 વર્ષની અવધિ માટે એફડી પરના નવા વ્યાજદર
સામાન્ય જનતા માટે વ્યાજદર 5.7થી ઘટાડીને 5.3 કરી દીધું છે. જ્યારે સીનિયર સિટીઝન માટે વ્યાજદર 6.2 ટકાથી ઘટીને 5.8 ટકા થઈ ગયું છે.
5 વર્ષથી 10 વર્ષની અવધિ માટે એફડી પરના નવા વ્યાજદર
સામાન્ય જનતા માટે વ્યાજદર 5.7થી ઘટાડીને 5.4 કરી દીધું છે. જ્યારે સીનિયર સિટીઝન માટે વ્યાજદર 6.5 ટકાથી ઘટીને 6.2 ટકા થઈ ગયું છે.