દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકોને મહિનામાં 8-10 ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની સુવિધા છે.
મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા સમાપ્ત પછી ATMથી ટ્રાન્ઝેક્શન કરવા પર ચાર્જ ચૂકવવાનો હોય છે, પરંતુ શું તમે જાણો છો કે SBI મફત અનલિમિટેડ ATM ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. પરંતુ તેના માટે ગ્રાહકોને બેંકની કેટલીક શરતોને પૂરી કરવી પડશે.
જો તમે અનલિમિટેડ ફ્રી ATM ટ્રાન્ઝેક્શન ઇચ્છો છો તો તમારા ખાતમાંથી મંથલી એવરેજ 1 લાખ રૂપિયા રાખવા પડશે. ત્યારે જ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના ગ્રુપના ATMથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશો.
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ એવા નિર્દેશ આપ્યા છે કે તેઓ પોતાના ગ્રાહકોને પ્રતિ એક મહિના એક નિશ્ચિત સંખ્યામાં ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવે. હાલમાં SBIના ખાતાધારકોને મેટ્રો સિટીમાં 8 ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની સુવિધા દર મહિને મળે છે. તેમાંથી 5 ટ્રાન્ઝેક્શન SBI ATM અને 3 ટ્રાન્ઝેક્શન બીજા બેંકોના ATMથી કરી શકાય છે. બીજી તરફ નેનો મેટ્રો સિટીના ખાતાધારકો માટે આ દર મહિને 10 ફ્રી ટ્રાન્ઝેક્શન સુવિધા આપવામાં આવે છે. ત્યાર પછીના ટ્રાન્ઝેક્શન પર 5 રૂપિયાથી 20 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે.
25000 રૂપિયા મંથલી એવરેજ બેલેન્સ રાખીને SBI ખાતાધારકો સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા ગ્રુપની કોઇ પણ ATM પ્રતિ મહિના 10 ફ્રી ટ્રાન્ઝેક્શન સુવિધા આપે છે.