જો તમે પણ ભારતીય સ્ટેટ બેંકમાં ખાતું ધરાવો છો તો તમે 2 લાખ રૂપિયાનો ફ્રીમાં લાભ મેળવી શકો છો. તો જાણી લો શું છે ખાસ સ્કીમ.
આ બેંકમાં ખાતુ તો એકદમ ફ્રી મળશે રૂપિયા 2 લાખનો લાભ
મોદી સરકારની આ સ્કીમનો લો ઝડપથી લાભ
જન ધન ખાતાધારકો ફ્રી ઈન્શ્યોરન્સનો લઈ શકે છે લાભ
જો તમે ભારતીય સ્ટેટ બેંક (State Bank of India)ના ગ્રાહક છો તો તમારા માટે આ ન્યૂઝ ફાયદા રૂપ છે. SBI તેના ગ્રાહકોને માટે 2 લાખ રૂપિયાનો ફ્રી ઈન્શ્યોરન્સ લાવી છે. બેંક આ સુવિધા જન ધન ખાતાધારકોને આપી રહી છે. SBI જે ગ્રાહકો પાસે રૂપે ડેબિટ કાર્ડ છે તેમને 2 લાખ રૂપિયાનો ફ્રી આકસ્મિક વીમો આપે છે. RuPay ડેબિટ કાર્ડ રાખનારાને મૃત્યુ વીમો, ખરીદ સુરક્ષા કવર અને અન્ય લાભ મળે છે. જન ધન એકાઉન્ટના ખાતાધારકો પણ ફ્રી ઈન્શ્યોરન્સનો લાભ લઈ શકે છે.
કેવી રીતે કરશો ક્લેમ
આ યોજનાના આધારે વ્યક્તિગત દુર્ઘટના પોલીસી ભારતના બહાર થયેલી દુર્ઘટના માટે પણ કવર આપે છે. જરૂરી ડોક્યુમેન્ટને જમા કરાવીને વીમા રાશિના અનુસાર ભારતીય રૂપિયામાં ક્લેમનું પેમેન્ટ કરવામાં આવે છે. ન્યાયાલયના આદેશ અનુસાર લાભાર્થી કાર્ડધારક કે કાયદાકીય ઉત્તરાધિકારીના ખાતામાં નોમિનિ બની શકે છે.
ટ્રાન્સફર કરવાનો પણ હોય છે વિકલ્પ
બેસિક સેવિંગ એકાઉન્ટને જન ધન યોજનામાં ખાતામાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પણ છે. જેની પાસે જન ધન એકાઉન્ટ છે તેમને બેંકથી રૂપે કાર્ડ આપવામાં આવે છે. 28 ઓગસ્ટ 2018થી ખોલાયેલા જન ધન ખાતા પર આ કાર્ડની વીમા રાશિ 1 લાખ રૂપિયા હશે. અને આ તારીખ બાદ આપવામાં આવેલા કાર્ડ પર આ રકમ 2 લાખની મળે છે.
2014માં શરૂ કરાઈ છે યોજના
પ્રધાનમંત્રી જન ધન યોજના 2014માં શરૂ કરાઈ હતી. આ યોજનાના આર્થિક રીતે નબળા લોકોને સસ્તામાં ફાયનાન્શિયલ સર્વિસ, બેંકિંગ બચત અને જમા ખાતા, ક્રેડિટ ખાતા, પેન્શન સુધી પહોંચીને સુનિશ્ચિત કરે છે. કોઈ પણ વ્યક્તિ તેના ગ્રાહકને કેવાયસી ડોક્યુમેન્ટ આપીને ઓનલાઈન જન ધન ખાતું ખોલી શકે છે.