ભારતીય સ્ટેટ બેંક (SBI) છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ગ્રાહકોને મોબાઇલ ફોન પર એક SMS મોકલીને KYC અપડેટ કરવા માટેની સૂચના આપી રહી છે. જો કોઇ ગ્રાહક આ નથી કરાવતુ તો તેના બેંક એકાઉન્ટથી ટ્રાન્જેક્શન નહી થઇ શકે. તમને જણાવી દઇએ કે RBIએ તમામ બેંક એકાઉન્ટ માટે KYC જરૂરી કરી દીધું છે.
બેંક પોતાના ગ્રાહકોને કરી રહી છે આ SMS:
ભારતીય રિઝર્વ બેંકના સૂચનો અનુસાર તમારા ખાતામાં KYC દસ્તાવેજોને અપડેટ કરવા પડશે. કૃપા કરીને નવા KYC દસ્તાવેજો સાથે પોતાની SBI શાખામાં જઇને સંપર્ક કરો. KYC પૂરી ન થવાની સ્થિતીમાં તમારા ખાતામાં ભવિષ્યમાં કરવામાં આવનાર લેણ-દેણ પર રોક લગાવવામાં આવશે.
KYC શું છે:
સાધારણ ભાષામાં કહીએ તો KYC એટલે કસ્ટમર વિશેની સંપૂર્ણ જાણકારી. KYC કરાવવું તમામ ગ્રાહકો માટે જરૂરી છે. એક રીતે બેંક અને ગ્રાહકો વચ્ચે KYC સંબંધો મજબૂત રહે છે. KYC વિના રોકાણ શક્ય નછી. તેના વિના બેંક એકાઉન્ટ ખોલવું સરળ નથી.
બેંકમાં ખાતુ ખોલાવવુ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બેંક લૉકર્સ લેવા પર કે જૂની કંપનીની PPF રકમ ઉપાડવા માટે KYC વિશે પૂછવામાં આવે છે. KYC દ્વારા તે સુનિશ્વિત કરવામાં આવે છે કે કોઇ બેંકિંગ સેવાઓનો દુરુપયોગ તો નથી કરી રહ્યું.
KYC દસ્તાવેજ:
SBIની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર KYC માટે ગ્રાહકોએ મતદાતા ઓળખ પત્ર ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ વગેરે જેવા ઓળખના પુરાવા તથા ટેલિફોન બિલ વીજળીનું બિલ રાશન કાર્ડ વગેરે જેવા રહેઠાણના પુરાવા આપવાના રહેશે.