સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા SBIએ ગ્રાહકોને મોટી રાહત આપતા વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે.
SBI ગ્રાહકો માટે મોટી જાહેરાત
SBIએ બેસ રેટમાં બેસિસ પોઈન્ટ 0.05 ટકાનો ઘટાડો કર્યો
હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો કરતા 6.70 ટકા કરવામાં આવ્યો
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો માટે મોટી રાહત આપતા વ્યાજદરોમાં ઘટાડાનું એલાન કર્યું છે. એસબીઆઈએ બેસ રેટમાં બેસિસ પોઈન્ટ એટલે કે 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ નવા વ્યાજદર 7.45 ટકા થઈ ગઈ જશે. આ ઉપરાંત બેન્કે પ્રાઈમ લેન્ડિંગ રેટમાં પણ 0.05 ટકાના ઘટાડાનો નિર્ણય કર્યો છે. જ્યાર બાદ પીએલઆર 12.20 ટકા થઈ જશે. આ નવા દર આજે બુધવારે 15 સપ્ટેમ્બર 2015થી લાગુ થઈ ગયા છે.
આ પહેલા એપ્રિલમાં એસબીઆઈએ હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો કરતા 6.70 ટકા કરી દીધો હતો. સાથે જ મહિલા ગ્રાહકોને 0.05 ટકાથી વધુ આપવાનું એલાન કર્યું છે.
જણાવી દઈએ કે બેસ રેટ એક મિનિમમ વ્યાજદર હોય છે. જેના નીચેના દર પર કોઈ પણ બેન્ક લોન નથી આપતી. આ દરને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નક્કી કરે છે. રિઝર્વ બેન્કની તરફથી નક્કી બેસ રેટ 7.30-8.80 ટકા છે.
SBIના આ નિર્ણયનો સામાન્ય આદમીના ખિસ્સા પર સીધો અસર પડશે. તેનાથી એસબીઆઈના ગ્રાહકોને સામાન્ય હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન સહિત ઘણા પ્રકારની લોનના માસિક હપ્તા ઓછા થઈ શકે છે.
જણાવી દઈએ કે જુલાઈ 2010 બાદ લેવામાં આવેલા કોઈ પણ હોમ લોન બેસ રેટ સાથે લિંક્ડ છે. આ મામલામાં બેન્કોને આઝાદી છે કે તે કોસ્ટ ઓફ રંડ્સની ગણના સરેરાશ ફન્ડ કોસ્ટના હિસાબથી કરે અથવા MCLRના હિસાબથી કરે. આરબીઆઈની તરફથી નક્કી MCLR રેટ 6.55-7.00 ટકા છે.