દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક 1 જુલાઈ 2021થી અમુક નિયમ બદલી રહી હોવાથી ગ્રાહકોને એટીએમમાંથી પૈસા ઉપાડવા વધારે ચાર્જ ચૂકવવો પડશે.
SBI ગ્રાહકો માટે માઠા સમાચાર
1 જુલાઈથી ATMમાંથી રૂપિયા કાઢવા પડશે મોંઘા
SBI નવા નિયમોમાં કરી રહી છે ફેરફાર
દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક 1 જુલાઈ 2021થી અમુક નિયમ બદલવાની છે. નવા નિયમ લાગુ થયા બાદ એટીએમમાંથી કેશ વિડ્રોલ અને ચેકબુકનો ઉપયોગ કરવો તમને ભારે પડશે. SBIએ પોતાના એટીએમ અને બેંકની બ્રાન્ચમાંથી પૈસા કાઢવાના સર્વિસ ચાર્જમાં ફેરફાર કર્યો છે. SBIની વેબસાઈટ મુજબ, નવા ચાર્જ ચેકબુક, ટ્રાન્સફર અને અન્ય નોન-ફાઈનાન્શિયલ ટ્રાન્જેક્શન પર લાગુ થશે. નવા સર્વિસ ચાર્જ 1 જુલાઈ, 2021થી SBI બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ ખાતાધારકો પર લાગુ થશે.
શું છે BSBD ખાતુ?
SBI BSBD ખાતુ જીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ હોય છે. આ ખાતુ મધ્યમ વર્ગીય પરિવારો માટે હોય છે. બેંક ઝીરો બેલેન્સ ખાતા પર રેગ્યુલર સેવિંગ બેંક એકાઉન્ટની જેમ વ્યાજ આપે છે.
ચેકબુક પર વધ્યો ચાર્જ
SBI BSBD એકાઉન્ટ હોલ્ડર્સને એક નાણાંકીય વર્ષમાં 10 ચેકની કોપી મળે છે. હવે 10 ચેકવાળી ચેકબુક પર ચાર્જિસ આપવા પડશે. 10 પત્તાવાળી ચેકબુક માટે બેંક 40 રૂપિયા અને GST ચાર્જ વસુલ કરશે. 25 ચેક માટે બેંક 75 રૂપિયા અને GST ચાર્જ વસુલ કરશે. ઈમરજન્સી ચેકબુકના 10 ચેક માટે 50 રૂપિયા અને GST ચૂકવવો પડશે. જોકે, સિનિયર સીટીઝનોને ચેકબુક પરના નવા સર્વિસ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવશે.
SBI બ્રાન્ચ ATMમાંથી રોકડ ઉપાડ
SBI BSBD ખાતાધારકોને 4 ફ્રી કેશ વિડ્રોલ ટ્રાન્જેક્શનની સુવિધા મળે છે. જેમાંથી બ્રાન્ચની સાથે-સાથે ATMમાં કરવામાં આવેલી લેવડ-દેવડ સામેલ છે. ફ્રી લિમિટ સમાપ્ત થતાં બેંક ગ્રાહકો પાસેથી ચાર્જ વસુલે છે. બ્રાન્ચ અથવા ATMમાંથી રોકડ નિકાળતા 15 રૂપિયા અને GST વસુલે છે.
રોકડ ઉપાડના નિયમો બદલાયા
ઉલ્લેખનીય છે કે, કોરોનાના સંક્રમણને કારણે SBIએ પોતાના ગ્રાહકોને રાહત આપી છે અને રોકડ નિકાળવાની મર્યાદાને વધારી દીધી છે. ગ્રાહક પોતાના બચત ખાતામાંથી બીજી બ્રાન્ચમાં જઈને વિડ્રોલ ફોર્મ દ્વારા 25,000 રૂપિયા સુધી નિકાળી શકે છે. ચેક દ્વારા હવે બીજી બ્રાન્ચમાંથી 1 લાખ રૂપિયા સુધી નિકાળી શકાય છે. થર્ડ પાર્ટી એટલેકે જેને ચેક આપ્યો છે, તેની રોકડ કાઢવાની મર્યાદા વધારીને 50 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે.