દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)એ 70000 કર્મચારીઓને કહ્યુ કે ''તે રકમ પરત કરે જે તેમને નોટબંધી દરમિયાન ઓવરટાઇમ તરીકે મળી હતી.'' આ જાણકારી એક મીડિયા રિપોર્ટની મદદથી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે નોટબંધીની ઘોષણા 8 નવેમ્બર 2016ના કરવામાં આવી હતી.
પબ્લિક સેક્ટરની આ બેંકમાં તમામ કર્ચચારીઓને પોતાના વર્કફોર્સમાં શામેલ કરી દીધા છે કેમકે વર્ષ 2017માં સ્ટેટ બેંક ઑફ બિકાનેર એન્ડ જયપુર સ્ટેટ બેંક ઑફ હૈદરાબાદ સ્ટેટ બેંક ઑફ મૈસૂર સ્ટેટ બેંક પટિયાલા અને સ્ટેટ બેંક ઑફ ત્રાવણકોરનું મર્જર થઇ ગયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના નોટબંધીની ઘોષણા કરી હતી જેના પછી 9 નવેમ્બરથી 500-1000 રૂપિયાની નોટોને પ્રતિબંધિત કરી દીધી હતી. જોકે સરકારે લોકોને જૂની નોટો બદલા માટે સમય આપ્યો હતો જેના કારણે લોકો પોતાની નોટો બદલા માટે ઘણા દિવસો સુધી બેંકોંની બહાર લાંબી લાઇનમાં ઉભા રહ્યા હતા.
નોટબંધીના સમય દરમિયાન બેંક કર્મચારીઓએ દિવસમાં 14-14 કલાક સુધી કામ કર્યુ હતુ. આ દરમિયાન ઘણા કર્મચારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી હતી કેમકે જૂની નોટો બદલવા માટે સરકારની તરફથી સીમિત સમય આપવામાં આવ્યો હતો.
SBI કેમ આ કરી રહી છે?
વાસ્તવમાં નોટબંધી દરમિયાન ઓવરટાઇમ કરનારા કર્મચારીઓને બેંક પ્રબંધને કહ્યુ હતુ કે કે તેમણે ઓવરટાઇમ અલાઉન્સ આપવામાં આવશે આ 70000 કર્મચારીઓને નોટબંધી દરમિયાન ઓવરટાઇમ ડ્યૂટી માટે ચૂકવણી કરી દીધી હતી પરંતુ હવે તેણે પરત માંગવામાં આવી રહ્યા છે. SBIએ પોતાની તમામ ઝોનલ હેડક્વાર્ટરમાં મોકલેલા પત્રમાં કહેવામાં આવ્યુ છે કે માત્ર આપણા કર્મચારી ( બ્રાંચમાં કામ કરતા) ને જ વધારે કામના રૂપિયા આપવામાં આવશે ન તો એસોસિયેટ બેંકોના કર્મચારીઓને જેનું SBIમાં મર્જર થઇ ગયું છે.