દેશમાં કોરોના વાયરસ મહામારી અને લોકડાઉન વચ્ચે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ તેના કરોડો ગ્રાહકોને એલર્ટ કર્યા છે. બેંકે તેના ગ્રાહકોને જણાવ્યું છે કે, ટૂંક સમયમાં એક સાયબર એટેક થઈ શકે છે. જો એસબીઆઈના ગ્રાહકોએ ધ્યાન ન આપ્યું તો બેંકમાં રાખેલાં પૈસા ગાયબ થઈ શકે છે.
SBI બેંકના ગ્રાહકો ચેતી જજો
આ ભૂલ તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે
બેંકે ગ્રાહકોને આપી ચેતવણી
ભારતીય સ્ટેટ બેંકએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ગ્રાહકોને માહિતી આપી છે કે ભારતીય કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે (CERT-In) ભારતમાં ફિશિંગ એટેકની ચેતવણી આપી છે. આ ચેતવણીમાં એવું કહેવામાં આવ્યું છે કે સાયબર ફ્રોડ કરનારા તમને COIVD-19 માટે ફ્રી ટેસ્ટ વિશે ઈમેલ મોકલીને માહિતી પૂછવાનો પ્રયાસ કરી શકે છે. જેનો દુરૂપયોગ થઈ શકે છે.
Attention! It has come to our notice that a cyber attack is going to take place in major cities of India. Kindly refrain yourself from clicking on emails coming from [email protected] with a subject line Free COVID-19 Testing. pic.twitter.com/RbZolCjLMW
— State Bank of India (@TheOfficialSBI) June 21, 2020
સીબીઆઈએ પણ એલર્ટ જારી કર્યું હતું
દેશની ગુપ્તચર એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ પણ કોરોના સંકટના આ સમયમાં સાયબર એટેક અંગે ચેતવણી જારી કરી છે. થોડાં સમય પહેલાં ખતરાના અણસાર મળતા સીબીઆઈએ સામાન્ય લોકોને ચેતવણી આપી હતી. સીબીઆઈએ કોરોના વાયરસના નામે થયેલા સ્કેમ અંગે દેશના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રિય એજન્સીઓને ચેતવણી જારી કરી હતી.
સીબીઆઈએ લોકોને કોરોનાથી સંબંધિત અપડેટ્સ જાણવા ડાઉનલોડ કરેલી એપ્સ વિશે ચેતવણી આપી છે. જેના દ્વારા યુઝર્સને ફ્રોડ લિંક્સ મોકલીને હેકરો બેંકિંગ સ્કેમ્સ અને ક્રેડિટ કાર્ડની વિગતો ચોરી રહ્યા છે.