જો તમારું પણ દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈમાં ખાતું છે, તો તમારા માટે આ કામના સમાચાર છે. બેંકે દેશના 44 કરોડ ગ્રાહકોને એલર્ટ કર્યા છે.
SBIના કરોડો ગ્રાહકો થઈ જાઓ એલર્ટ
ફોનમાં આ નંબર ભૂલથી પણ સેવ કરશો નહીં
બેંકે દેશના 44 કરોડ ગ્રાહકોને એલર્ટ કર્યા
એસબીઆઇ વેબસાઇટ અનુસાર દેશભરમાં ઝડપથી વધી રહેલા ફ્રોડના કેસોથી દરેકને સાવધાન રહેવાની જરૂર છે. આ સિવાય તમારે ક્યારેય તમારા એકાઉન્ટથી સંબંધિત માહિતીને મોબાઈલમાં સેવ કરીને રાખવી નહીં. જો તમે તમારો ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ), પિન નંબર, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ સીવીવી અથવા એટીએમ ડિટેલ્સ મોબાઈલમાં સેવ રાખી છે તો તરત જ તેને હટાવી દો. નહીં તો તમારું એકાઉન્ટ ખાલી હશે.
એસબીઆઈએ કહ્યું છે કે ગ્રાહકોએ આવી ભૂલ જરાય ન કરવી જોઈએ, જેનાથી તેમનું બેંક ખાતું ખાલી થઈ જાય. બેંકે માહિતી આપતી વખતે કહ્યું કે ફોનમાં તમારું બેંક એકાઉન્ટ અને ઓનલાઇન બેંકિંગની વિગતો ક્યારેય સેવ ન કરો.
આ નંબર્સને ફોનમાં ક્યારેય સેવ ન કરો
બેંકે કહ્યું છે કે બેંક એકાઉન્ટ નંબર, પાસવર્ડ, એટીએમ કાર્ડ નંબર અથવા તેનો ફોટો ક્લિક કરીને પણ ફોનમાં રાખવાથી તમારી માહિતી લીક થવાનું જોખમ છે. સાથે જ તમારા એકાઉન્ટમાં રહેલાં પૈસા પણ પણ જોખમ રહે છે અને એકાઉન્ટ ખાલી થઈ શકે છે.
કોઈની સાથે એટીએમ કાર્ડ શેર કરશો નહીં
આ સિવાય ગ્રાહકોએ પોતાનું એટીએમ કાર્ડ બીજા કોઈની સાથે શેર ન કરવું જોઈએ. આવું કરવાથી તમારા કાર્ડની માહિતી લીક થઈ શકે છે અને કોઈપણ તમારી સાથે સરળતાથી ફ્રોડ કરી શકે છે.
પબ્લિક ઈન્ટરનેટનો ઉપયોગ કરવો નહીં
સ્ટેટ બેંક અનુસાર દેશના તમામ ગ્રાહકોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે પૈસાની લેણદેણ માટે પબ્લિક ઇન્ટરનેટનો ઉપયોગ ન કરો. તેમાં હંમેશા તમારી પર્સનલ માહિતી લીક થવાનો ભય રહે છે.
તમને જણાવી દઇએ કે બેંક કોલ કરીને અથવા એસએમએસ કરીને તમે ક્યારેય યુઝર આઈડી, પિન, પાસવર્ડ, સીવીવી, ઓટીપી, વીપીએ (યુપીઆઈ) જેવી સંવેદનશીલ માહિતી માંગતી નથી. જો તમને આવો કોઈ ફોન આવે છે, તો સાવધાન રહો અને કોઈ પણ માહિતી કોઈની સાથે શેર ન કરો.