દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફરી એકવાર તેના 42 કરોડ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. એસબીઆઇએ હાલમાં જ તેના ગ્રાહકોને ચેતવણી આપી છે કે, ગ્રાહકોએ તેમની પર્સનલ ડિટેલ્સ જેમ કે પાન, આધાર, મોબાઇલ નંબર, જન્મ તારીખ, સરનામું અને સહી કોઈની સાથે શેર કરવી નહીં, કારણ કે દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહે છે કે તમે તમારી બધી વિગતોના એકમાત્ર રક્ષક છો.
તરત જ બેંકને જાણ કરો
જો તમારા બેંક ખાતામાં કોઈ ફ્રોડ થાય છે, તો તેને તરત જ તમારી બેંકમાં જાણ કરો. RBIKehtaHai કે તમારી તરફથી ફ્રોડની માહિતી મળતાં અમે અમારા તરફથી તાત્કાલિક કાર્યવાહી કરી શકીએ છીએ. તમારા ખાતામાં કોઈપણ છેતરપિંડીની પ્રવૃત્તિ માટે સાવધ રહો અને તરત જ અમને જાણ કરો.