જો તમે દેશની સૌથી મોટી SBI બેંકના ગ્રાહક છો તો તમારા માટે એક કામની વાત છે. SBIએ પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે. SBIએ ગ્રાહકોને એલર્ટ કર્યા છે જે બેંકમાં રોકાણની યોજના બનાવી રહ્યા છે. આ સાથે જ બેંકની તરફથી થતાં ફ્રોડથી બચવા માટે પણ કેટલીક જરૂરી જાણકારી આપી છે.
SBIએ ખાતેદારોને કર્યા એલર્ટ
રોકાણકારોને આપી જરૂરી સૂચના
બેંક ફ્રોડથી બચવા માટે પણ આપી જરૂરી જાણકારી
SBI એલર્ટના આધારે સુરક્ષિત રોકાણ યોજના બજાર દ્વારા રેગ્યુલેટ થાય છે. અને યોગ્ય જાણકારી મળે છે. તેનાથી સંદિગ્ધ યોજના આકર્ષક બને છે. સુરક્ષિત રોકાણમાં લાભ યોજનાના પ્રકાર પર નક્કી કરવામાં આવે છે. સંદિગ્ધ રોકાણ યોજનામાં કોઈ પણ નિયમ વિના લાભની ગેરેંટી આપવામાં આવે છે.
SBIએ આપી આ સલાહ
જોખમની વાત કરવામાં આવે તો સુરક્ષિત રોકાણ યોજનાના વિવરણમાં આપવામાં આવેલું હોય છે. જો કે સંદિગ્ધ રોકાણ યોજનામાં જોખમની જાણકારી આપવામાં આવતી નથી. SBIની તરફથી સલાહ આપવામાં આવી છે કે કોઈ પણ રોકાણનો નિર્ણય લેતા પહેલાં યોગ્ય તપાસ, જાણકારી અને માહિતી મેળવવી જરૂરી છે. આ પછી જ સુરક્ષિત રોકાણ માટે પગલું ભરવું જોઈએ.
રોકાણ માટે અહીંથી મેળવી શકશો જાણકારી
આ સિવાય પણ તમે એસબીઆઈની વેબસાઈટ http://bank.sbi/web/personal-banking/investments-deposits/deposits પર લિંક કરીને જાણકારી મેળવી શકો છો.