જો તમે SBIના ગ્રાહક છો તો તમારા માટે આ જરૂરી ખબર છે.
SBIના ગ્રાહકો માટે એલર્ટ
30 સપ્ટેમ્બર સુધી કરવું પડશે આ કામ
જાણો બેન્કે શું આપી સલાહ
જો તમે SBIના ગ્રાહકો છો તો તમારા માટે ખૂબ જ જરૂરી ખબર છે. ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકોને એક વખત ફરી એલર્ટ કર્યા છે. SBIએ પોતાના ગ્રાહકોને બને તેટલું જલ્દી પાન કાર્ડને આધાર સાથે લિંક (PAN-Aadhaar Link) કરાવવાની અપીલ કરી છે. બેન્કે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એલર્ટ જાહેર કર્યું છે. SBIના જણાવ્યા અનુસાર જો કોઈ ગ્રાહક આમ નહીં કરે તો તેની બેન્કિંગ સર્વિસમાં મુશ્કેલી થઈ શકે છે.
જણાવી દઈએ કે હાલમાં આધાર કાર્ડ ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. તેના વગર કોઈ પણ મોટી નાણાકીય લેવડ-દેવડ શક્ય નથી. બેન્કથી લઈને સરકારી યોજનાઓ સુધી દરેક જગ્યા પર તેની જરૂર પડે છે. એવામાં પારદર્શિતા બની રહે તેના માટે તમારે પાન સાથે આધર લિંક કરાવવું જરૂરી છે.
જાણો શું કહ્યું બેન્કે?
SBIએ પોતાના એકાઉન્ટ હોલ્ડર્સને કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધી ગ્રાહક પોતાના પાનને આધાર સાથે લિંક કરાવી લે. બેન્કે ટ્વીટ કરીને જણાવ્યું કે પાનને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. અમે અમારા ગ્રાહકોને સલાહ આપી રહ્યા છીએ કે અસુવિધાથી બચવા માટે પોતાના પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. બેન્કિંગ સેવાનો આનંદ લેતા રહો.
પાન અને આધારને લિંક કરવાની પ્રક્રિયા
તમારી પાસે પાન અને આધાર કાર્ડને લિંક કરવાની બે રીતો છે. પહેલું SMS અને બીજુ ઈનકમ ટેક્સની વેબસાઈટ પર જઈને પણ કરી શકો છો.
જો તમે SMS દ્વારા પાન અને આધાર લિંક કરવામાંગો છો તો તમારે UIDPAN<સ્પેસ>12 આંકડાનો આધાર નંબર<સ્પેસ> 10 આંકડાનો પાન નંબરને 567678 અથવા 56161 પર SMS કરવાનો રહેશે.