SBIએ પોતાના દરેક ખાતાધારકોને એલર્ટ કર્યા છે. બેન્કે કહ્યું છે કે ગ્રાહક 31 માર્ચ સુધી પાન-આધાર કાર્ડને લિંક નહીં કરે તો તેમની બેન્કિંગ સેવાઓ બંધ થઈ શકે છે.
SBIએ પોતાના ગ્રાહકોને કર્યા એલર્ટ
31 માર્ચ સુધી કરી દો આ કામ
જાણો સંપૂર્ણ પ્રોસેસ
સાર્વજનિક ક્ષેત્રએ દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે (SBI) પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે. બેન્કે પોતાના એકાઉન્ટ હોલ્ડર્સને 31 માર્ચ 2022 પહેલા પાન-આધાર કાર્ડને લિંક કરવા માટે નોટિસ આપી છે. બેન્કે કહ્યું છે કે જો ગ્રાહક આમ નથી કરતા તો તેમની બેન્કિંગ સેવા ઠપ થઈ શકે છે. SBIએ તેના માટે ટ્વીટ પણ કર્યું છે.
31 માર્ચ સુધી છે મોકો
SBIએ કહ્યું, 'અમે પોતાના ગ્રાહકોને સલાહ આપી છે કે તે કોઈ પણ અસુવિધાથી બચવા માટે પોતાના પાનને આધાર સાથે લિંક કરે અને બેન્કિંગ સેવાનો આનંદ લે. તેની લાથે જ બેન્કે કહ્યું છે કે પાનને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જો પાન અને આધાર લિંક નથી તો પાન નિષ્ક્રિય થઈ જાય છે અને સ્પેસિફાઈડ ટ્રાન્ઝેક્શન કરવા માટે પાનનો ઉપયોગ નથી કરવામાં આવતો. '
જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે કોરોના વાયરસ મહામારીને જોતા પાનને આધાર સાથે જોડવાની સમય સીમા 30 સપ્ટેમ્બર 2021એ વધારીને 31 માર્ચ 2022 કરી દીધી છે.
પાન-આધાર કાર્ડને આ રીતે કરો લિંક
સૌથી પહેલા તમે ઈનકમ ટેક્સની ઓફિશ્યલ વેબસાઈટ પર જવું પડશે. https://www.incometaxindiaefiling.gov.in/home
અહીં તમને Link Aadhaarનો ઓપ્શન જોવા મળશે. તેને ક્લિક કરો.
એક નવું પેજ ખુલશે, જ્યાં તમને PAN, AADHAAR અને આધારમાં તમારૂ નામ જેવુ લખ્યું છે તેવું ભરવાનું રહેશે.
જો તમારા આધાર કાર્ડમાં ફક્ત જન્મનું વર્ષ છે તો 'I have only year of birth in aadhaar card'ના બોક્સને ટિક કરો.
કેપ્ચા કોડ નાખીને OTP પર ટિક કરો.
લિંક આધારના બટનને ક્લિક કરો. આ રીતે થઈ ગયા તમારા PAN અને Aadhaar લિંક .