જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો તો તમારા માટે આ ન્યૂઝ કામના હોઈ શકે છે. હાલમાં એવા સંકેત મળી રહ્યા છે કે આવનારા સમયમાં એસબીઆઈના ડેબિટકાર્ડ બંધ થશે. જો એમ થશે તો તમારી પાસેના એસબીઆઈના ડેબિટ કાર્ડ બેકાર થશે. જાણો શું છે આખો કિસ્સો.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ડેબિટ કાર્ડને સિસ્ટમમાંથી બહાર કરવાની યોજના છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના આધારે એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે એક કાર્યક્રમમાં કહ્યું છે કે અમે ડેબિટ કાર્ડને પ્રચલનમાંથી બહાર કરવા ઈચ્છીએ છીએ. અમે નક્કી કર્યું છે કે અમે તેને ચોક્કસથી બંધ કરીશું. સાથે તેઓએ જણાવ્યું કે ડેબિટકાર્ડ સિસ્ટમ ખતમ થતાં જ તેની અવેજીમાં ડિજિટલ સિસ્ટમ લાવવામાં આવશે.
ડેબિટકાર્ડ મુક્ત દેશ બનાવવામાં યોનો એપ સૌથી મોટી ભૂમિકા નિભાવશે, રજનીશ કુમારે કહ્યું કે યોનો મંચની મદદથી એટીએમ મશીનોથી રૂપિયા કાઝી શકાશે, દુકાનોથી સામાન ખરીદી શકાશે. તેઓએ કહ્યું કે બેંક પહેલેથી 68000 યોનો કેશપોઇન્ટની સ્થાપના કરી ચૂકી છે. અને આવનારા 18 મહિનામાં તેને 10 લાખ કરવાની યોજના છે. રજનીશ કુમારના આધારે દેશમાં એસબીઆઈના 90 કરોડ ડેબિટકાર્ડ અને ત્રણ કરોડ ક્રેડિટ કાર્ડ છે.
ઉલ્લેખનીય છે કે એસબીઆઈના યોનો એપને નવેમ્બર 2017માં રજૂ કરવામાં આવ્યું હતું, આ વર્ષે ફેબ્રુઆરી સુધી યોનો એપને 1.80 કરોડથી વધારે વાર ડાઉનલોડ કરવામાં આવ્યું છે. તેના 70 લાખથી વધારે સક્રિય યૂઝર્સ છે. જ્યારે એસબીઆઈના ગ્રાહકોની વાત કરીએ તો હાલમાં પણ સંખ્યા 40 કરોડથી વધારેની છે.