જો તમારું ખાતુ પણ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં છે તો આ સમાચાર તમારા કામના છે. SBI પોતાના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીનું ઈન્શ્યોરન્સ આપી રહી છે. આ સુવિધા જન ધન એકાઉન્ટના ખાતધારકોને આપવામાં આવી રહી છે.
જો તમારું ખાતુ આ બેન્કમાં છે તો મળશે તમને લાભ
SBI પોતાના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીનું આપશે ઈન્શ્યોરન્સ
આ સુવિધા જન ધન એકાઉન્ટના ખાતધારકોને અપાશે
પ્રધાનમંત્રી જનધન યોજના વર્ષ 2014માં શરૂ થઇ હતી. આ યોજના આર્થિક રીતે નબળા લોકોને ફાયનાન્સિયલ સર્વિસ, બેન્કિંગ બચત અને જમા ખાતા, ક્રેડિટ વીમા, પેન્શન સુધી પહોંચવામાં નક્કી કરે છે.
જનધન ગ્રાહકોને અપાય છે સુવિધા
મહત્વનું છે કે, બેંક તરફથી જનધન ગ્રાહકોને SBI Rupay Jandhan Cardની સુવિધા આપવામાં આવે છે. આ કાર્ડ પર બેંક ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધી આકસ્મિક વીમા કવરની સુવિધા આપી રહ્યું છે. રૂપે કાર્ડની મદદથી તમે ખાતમાંથી પૈસા કાઢી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.
ટ્રાન્સફર કરવાનો પણ છે વિકલ્પ
બેસિક સેવિંગ એકાઉન્ટને જન ધન યોજના ખાતામાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પણ છે. જેની પાસે Jan Dhan Accouts છે, તેને બેંકમાંથી RuPay PMJDY કાર્ડ મળે છે. 28 ઓગષ્ટ 2018 સુધી ખોલવામાં આવેલા જન ધન ખાતા પર ચાલુ રહેલ RuPay PMJDY કાર્ડની વીમા રકમ 1 લાખ રૂપિયા હશે. 28 ઓગષ્ટ 2018 પછી પ્રકાશિત થયેલ RuPay કાર્ડ પર 2 લાખ રૂપિયા સુધીનું એક્સિડેન્ટલ કવરનો લાભ મળશે.
કેવીરીતે દાવો કરશો?
ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ વ્યક્તિગત દુર્ઘટના પોલિસી ભારતની બહાર થયેલી ઘટના પણ કવર થાય છે. આવશ્યક દસ્તાવેજ જમા કરાવતા વીમાની રકમ મુજબ ભારતીય રૂપિયામાં ક્લેમની ચૂકવણી કરવામાં આવશે. કોર્ટના આદેશ મુજબ, લાભાર્થી કાર્ડ ધારક અથવા કાયદાકીય ઉત્તરાધિકારીના ખાતામાં નોમિની બની શકે છે.
આ રીતે ખોલાવો ખાતુ
જો તમે તમારું નવુ જનધન ખાતુ ખોલાવવા ઈચ્છો છો તો નજીકની બેન્કમાં જઇને સરળતાથી આ કામ કરી શકો છો. જેના માટે તમારે બેંકમાં એક ફોર્મ ભરવુ પડશે. જેમાં નામ, મોબાઈલ નંબર, બેંક બ્રાન્ચનું નામ, અરજદારનું સરનામુ, નોમિની, વ્યવસાય-રોજગાર અને વાર્ષિક આવક અને આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ અથવા વોર્ડ નંબર, વિલેજ કોડ અથવા ટાઉન કોડ વગેરેની માહિતી આપવી પડશે.