બેટર રોહિત શર્મા ઈજાગ્રસ્ત થવાના કારણે સાઉથ આફ્રીકા સામે ટેસ્ટ સીરીઝ નહીં રમી શકે. તેમને આ સીરીઝ પહેલા ઉપ-કેપ્ટન જાહેર કરવામાં આવ્યા હતા.
રોહિત શર્માની ટેસ્ટ સીરીઝ પહેલા પહોંચી ઈજા
હવે કોણ બનશે વાઈસ-કેપ્ટન?
જાણો કોનુ નામ છે લિસ્ટમાં સૌથી પહેલા
સાઉથ આફ્રીકાના પ્રવાસ પર રમાવવા જઈ રહેલી ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝથી સલામી બેટર રોહિત શર્માને ઈજા પહોચવાના કારણે બહાર થઈ ગયા હતા. આ સીરીઝની સાથે રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં ઉપકેપ્ટનની રીતે જોવા મળ્યા હતા. પરંતુ હૈમસ્ટ્રિંગ ઈન્જરીના કારણે તે ટેસ્ટ સીરીઝ ન રમી શક્યા. અજીન્ક્યા રહાણે પાસેથી ઉપ કેપ્ટનશીપ લઈને રોહિત શર્માને આપવામાં આવી હતી અને હવે પ્રશ્ન એ છે કે ટીમ ઈન્ડિયાના વાઈસ-કેપ્ટન ટેસ્ટ ક્રિકેટરમાં કોણ હશે.
લિમિટેડ ઓવરની ટીમના કેપ્ટન બનાવવામાં આવેલા રોહિત શર્માની અનુપસ્થિતિમાં જે ખેલાડીને ટેસ્ટ ટીમની ઉપકેપ્ટનશી મળી શકે છે. તેમાંથી બેટર કેએલ રાહુલ સૌથી આગળ છે. અજિન્ક્યા રહાણેને ફરીથી ટેસ્ટ ટીમના કેપ્ટન બનાવવામાં નહીં આવે અને ચેતેશ્વર પુજારા સાધારણ ફર્મને કારણે આ પદના દાવેદારોમાં શામેલ નથી. જોકે કેએલ રાહુલ ઉપરાંત જસપ્રીત બુમરાહનું નામ પણ ઉપકેપ્ટ બનવાની લિસ્ટમાં છે. પરંતુ કેએલ રાહુલની દાવેદારી બુમરાહ કરતા વધારે છે.
કેએલ રાહુલ છે સૌથી આગળ
રિપોર્ટની માનીએ તો કેએલ રાહુલને ઓછામાં ઓછુ સાઉથ આફ્રીકા સીરીઝ માટે ઉપકેપ્ટનશી આપવામાં આવી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIના સૂત્રોએ ટીઓઆઈ પાસે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે અજિન્ક્યા રહાણેએ ફરીથી ઉપકેપ્ટશીપ ફરી આપવાનો બોર્ડનો કોઈ ઈરાદો નથી. અહીં સુધી કે આ સીરીઝ માટે પણ રહાણે ટીમની ઉપકેપ્ટન નહીં રહે. તેના પાછળનું મુખ્ય કારણ અજિન્ક્યા રહાણેનુ ફોર્મ છે અને તેમના પ્લેઈંગ ઈલેવનમાં રમવાની સંભાવના નથી.
નજીકના સૂત્રોએ જણાવ્યું, "પાછળ વળીને જોવાનો કોઈ મતલબ નથી. હાલ પલડુ કેએલ રાહુલ તરફ જુકેલું છે. રહાણેનો પ્લેઈન્ગ ઈલેવનમાં શરૂના મેચોમાં હોવું નિશ્ચિત નથી. અશ્વિનના મામલામાં પણ ટીમ મેનેજમેન્ટે તેમને વિદેશમાં મોકો ન આપ્યો. એવામાં બન્નેમાંથી કોઈ એકને ઉપકેપ્ટન બનાવવા મુશ્કેલ છે. એક કે બે દિવસમાં કોહલીના ઉપકેપ્ટનની જાહેરાત કરવાનો વિચાર છે. "