વીટીવી ન્યુઝના અહેવાલ ની અસર જોવા મળી હતી,ભરૂચના નીલકંઠડેશ્વર ઘાટ પાસે કહેવાતા ખાનગી રિસોર્ટના માલિક દ્વારા કરવામાં આવેલ નર્મદા નદીના તટ પર રસ્તાના નિર્માણ મામલે મામલતદાર સહિતના અધિકારીઓની ટિમ આજે સ્થળ તપાસમાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ નજીક ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નીલકંઠડેશ્વર ઘાટ નજીક ના વિસ્તારમાં એક ખાનગી કહેવાતા ફાર્મ, રિસોર્ટ તરફ જવા માટે નર્મદા નદીના તટ ઉપર માટી થી પુરાણ કરી રસ્તા નું નિર્માણ કરવામાં આવતા નર્મદા પ્રેમી જનતામાં રોષ ની લાગણી જોવા મળી હતી.
જે બાબત અંગે નો એક અહેવાલ વીટીવી ન્યુઝ દ્વારા પ્રસારિત કરવામાં આવતા ભરૂચ નું વહીવટી તંત્ર મોડે મોડે જાગૃત થયું હતું અને સ્થળ પર દોડી જઈ નદી પર બાંધવામાં આવેલ પાળા ને દૂર કરવાની તેમજ ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર સામે લાલ આંખ કરી છે અને બે દિવસમાં નદી તટ પર થી બાંધવામાં આવેલ પાળા દૂર કરવામાં આવશે તે પ્રકાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નર્મદા નદી ના તટ પર પાળા બાંધવા મુદ્દે થયેલ વિવાદ માં આજે નવો ઘટસ્ફોટ થયો હતો.કહેવાતા ફાર્મ અને રિસોર્ટ ના માલિક સુરત ના ડાયમંડ ઉધોગ પતિ સવજી ધોળકિયા નું હોવાનું સામે આવ્યું હતું.
સમગ્ર મામલે જ્યારે ભરૂચ ખાતે કામગીરી કરતા તેઓના કર્મચારીઓને પૂછતાં તેઓએ આ જગ્યા માં માત્ર ખેતી કામ અને ગાયો નું પાલન કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું,પરંતુ જે પ્રકારની ચર્ચા મીડિયા અને લોકો સમક્ષ આવી હતી કે અંદર આલીસાન રિસોર્ટ છે તેવી તમામ બાબતોને કર્મચારીઓએ નકારી કાઢી હતી
ઉલ્લેખનીય છે કે, હાલ તંત્ર મોડે મોડે જાગૃત બન્યું છે,આટલા મોટા પ્રમાણ માં રસ્તા નું નિમાર્ણ કરવામાં આવ્યું અને અધિકારીઓ મીડિયા અહેવાલો બાદ પોતાની ફરજ બજાવતા નજરે પડ્યા છે,ત્યારે સમગ્ર મામલે તંત્રની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી અને આટલા મોટા ગેરકાયદે કાર્ય કરી માં નર્મદા પર પાળા બાંધી નદીને બે ભાગમાં વહેંચનારા સામે આખરે માત્ર પાળા તોડીને સંતોષ માળશે કે પછી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે તે તમામ બાબતો હાલ સમગ્ર મામલા બાદ થી ટોક ઓફ ધી ટાઉન બની છે.
ચર્ચાસ્પદ સવાલો
હાલ સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ કહેવાતા રિસોર્ટ અને ફાર્મના માલિક સવજી ધોળકિયા મીડિયા સામે બચાવ કરતા નજરે પડી રહ્યા છે, તો બીજી તરફ લોકો માં અનેક સવાલો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે જેમાં વેટ કરીએ તો પ્રથમ સવાલ શુ રૂપિયા ના જોરે તંત્ર ને ખિસ્સામાં મૂકી આ પ્રવૃત્તિને અંજામ આપવામાં આવ્યો.,?
શુ તંત્ર ને આટલા સમય થી ચાલતી આ પ્રવૃત્તિ ની જાણ ન હતી,?શુ ખરેખર સામે કોઈ ખેતી લાયક જગ્યા અથવાતો ગાયો પાલન માટેના કાર્ય ચાલી રહ્યા છે,કે પછી અન્ય કોઇ પ્રવૃત્તિ ચાલી રહી છે,!?
માં નર્મદાના તટ પર પાળ બાંધી નદી ને બે ભાગમાં વહેંચનારા સમાજ સામે માફી માગશે?કોઈ રાજકીય માથાના આશીર્વાદ થી થઇ આ પ્રકાર ની પ્રવૃત્તિ?કાર્ય શુ ચાલે છે જણાવો તો ખરા,?મીડિયા ને કેમ ફાર્મ માં લઇ જવા માટે તૈયાર નથી તમારા કર્મચારીઓ?