ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ આવતા જ આખું વાતાવરણ પવિત્ર અને ધાર્મિક બની જાય છે. આ મહિનાનો લાભ બધા એ જ ઉઠાવવો જોઈએ. આ મહિનામાં જાપ કરવામાં આવેલા મંત્રો સિદ્ધ અને અસરકારક હોય છે. જેનાથી શિવજી પ્રસન્ન થાય છે. આખા શ્રાવણ મહિનામાં જાપ અને પૂજન કરવું જોઈએ. આ સિવાય ઘરમાં જો શિવલિંગ હોય તો તેની પણ પૂજા કરવી જોઈએ. સાથે જ મંત્રોના જાપ રુદ્રાક્ષની માળાથી કરવા જોઈએ.
શ્રાવણ મહિનામાં આ રીતે કરો પૂજા
આ મંત્રના ઉચ્ચારણથી મળશે અપાર લાભ
મહામૃત્યુંજય મંત્રનું શિવજી સાથે છે ખાસ કનેક્શન
શ્રાવણ માસ ખુશીઓથી ભરપૂર હોય છે, જેમાં શિવજીની આરાધના કરવામાં આવે છે. આ માસમાં અમુક એવા મંત્ર છે જેનો જાપ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઇ જશે. શ્રાવણ માસમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી અપાર પુણ્ય મળે છે.
મહામૃત્યુંજય મંત્ર ઋગ્વેદનો એક શ્લોક છે. શિવને મૃત્યુંજયના રૂપમાં સમર્પિત આ મહાન મંત્ર ઋગ્વેદમાં મળી આવે છે. શાસ્ત્રોની માન્યતા છે કે મહામૃત્યુંજય મંત્ર ચમત્કારી અને શક્તિશાળી મંત્ર છે. જીવનની અનેક સમસ્યાઓમાંથી બહાર આવવામાં તમને રાહત આપે છે. જો મનમાં શ્રદ્ધા હોય તો તેનું પરિણામ અચૂક મળે છે. તે ગ્રહોની શાંતિમાં ખાસ ભૂમિકા નિભાવે છે. શ્રાવણ માસમાં સવારે ધૂપ-અગરબત્તી કરીને ઓછામાં ઓછા 108 વાર આ મંત્રનો જાપ કરો. તમારા બધા દુઃખ ખતમ થઇ જાશે.
આ મંત્રનો જાપ કરવાથી તમને ક્યારેય પણ કોઈ ભય, ચિંતા અને દુઃખ નહિ આવે. સવારે ઉઠતા જ આ મંત્રના જાપ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઇ જાશે. સુતા પહેલા પણ તમારે ઓછામાં ઓછા 51 વાર આ મંત્રનો જાપ કરો.
આ ગાયત્રી મંત્રના નિયમિત જાપથી ઘણા ફાયદા થાય છે જેમ કે ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી ત્વચામાં ચમક આવે છે. એવું માનવામાં આવે છે કે ગાયત્રી મંત્રના પ્રભાવથી મન દરેક પ્રકારની બુરાઈથી દૂર રહે છે. આ મંત્ર વ્યક્તિના કષ્ટ અને દુઃખોને દૂર કરે છે. દિવસમાં 108 વાર આ મંત્રનો જાપ કરી શકો છો.
આ ભૈરવ મંત્રનો જાપ તમારા સમસ્ત શત્રુઓનો નાશ કરીને તેને પણ મિત્ર બનાવી દેશે. તમારા દ્વારા સાચા મનથી કરવામાં આવેલી ભૈરવ આરાધના અને મંત્ર જપથી તમે સ્વયંને જીવનના સંતુષ્ટ અને શાંતિનો અનુભવ કરશો.